રાજ્યના ગૃહ મંત્રીએખેલૈયાઓ માટે રાત્રે ગરબા ગાઈ શકે પણ ગરબા આયોજકોની ફાટ ફાટ થઈ ગઈ છે, ગાયન કલાકારો પોતે ભાવ હવે વધારેસમય ગાવાના માંગી રહ્યા છે, કમિટમેન્ટ રાત્રીના બાર વાગ્યા સુધીનું હતું અને હવે સમય વધતાં મહેનતાણું વધારો જેવો ઘાટસર્જાતા સમસ્યા વકરી,
પ્રાપ્ત વિગતો અનુસાર ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શ્રમજીવી એવા લારી ગલ્લા રેકડી રેગડી વાળાઓને રાત્રે હેરાન કરવા નહીં, તથા ગરબાના રસિકો રાત્રે રમી શકશે, ત્યારે આ ર્નિણય ગરબા શરૂ થતા પહેલા લેવાયો હોત, તો સારું હોત હવે ગરબા આયોજકો પાસેથી ગાયન કલાકારો ઓકેસ્ટ્રા સિક્યુરિટી, ફૂડ, લાઇટ પાર્કિંગ ખર્ચમાં પણ વધારો જાેવા મળી રહ્યો છે, શું કરવું, તે ખ્યાલ આવતો નથી, ત્યારે જે કલાકારો ગાવા આવવાના હોય તે હવે કહી રહ્યા છે, કે ભાઈ ૧૨ વાગ્યા સુધી જ રાગડો તાણીશ, ૧૨ વાગ્યા પછી રાગડો તાણવાના અલગ ચાર્જ થશે, કારણ કે આમેય રાત્રે૧૦ વાગ્યા પછી ગરબા શરૂ થાય છે, ત્યારે રાત્રે ૧૦ થી ૧૨ ગરબા હોય તો બે કલાક રાગડા તાડવાના હોય હવે રાત્રિના ૧૨ વાગ્યા પછી જાે ૨ વાગ્યા સુધી અથવા ૪ વાગ્યા સુધી રાગડા તાણવા પડે તો ચાર્જ કેટલો? તે પ્રશ્ન હાલ ગરબા આયોજકોને મૂંઝવી રહ્યો છે,