ગુજરાતમાં નવરાત્રીની મોસમ ખીલી છે ત્યારે gj-૧૮ ખાતેના સેક્ટર-૫હ્વ ખાતે મહાકાળી મંદિર ત્રીજા નોરતે રાત્રે વિક્રમ ઠાકોરને ગરબામાં ગાવા બોલાવેલ, ત્યારે મધુર વાંસળી વગાડનારા કાનાએ મંત્રમુગ્ધ પબ્લિકને કરી દીધી હતી, ત્યારે ડાકોર વાળા ઠાકોરની એન્ટ્રીથી પબ્લિક સમાય નહીં તેઓ ઘાટ સર્જાયો હતો મેદની કે જનમેદની ત્યારે વર્ષોથી સેક્ટર-પબી ખાતે ગરબા આયોજન એવા અંબુજીસિંહ ગોલ (બિલ્ડર), ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, રહીશો તથા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે, ત્યારે અહીંયા વેપલા ગરબા નહીં નોન વેપલા વિના મૂલ્ય આવો જુઓ મજા કરો અને આશીર્વાદ આપો, ગઈકાલ રાત્રે ત્રીજા નોરતે પબ્લિકે ભુક્કા બોલાવી દીધા હતા, આટલી બધી જ મેદની કે જનમેદની આવી ક્યાંથી? પબ્લિક ભેગી કરવી હોય ગમે ત્યાં તો અત્યારે ભલભલાને પરસેવો પડી જાય છે, ત્યારે અહીંયા ઓ હો હો.. વિક્રમ ઠાકોરનું ભવ્યતિ- ભવ્ય સ્વાગત બાદ ડે.મેયરનું પણ સ્વાગત જાેર કર્યું હતું. મોબાઇલમાં લાઈટ ઓન કરીને પબ્લિકના દરેક જગ્યાએ માથા દેખાઈ રહ્યા છે, કોઈ એવી જગ્યા નહોતી કે જ્યાં જગ્યા ખાલી હોય, ત્યારે વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલા, ભાજપના અતુલ પટેલ, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા, બારકાઉન્સિલના સભ્ય શંકરસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણાથી લઈને મહાનુભાવો ઉપસ્થિત હતા.