ઉત્તરપ્રદેશમાં આશરે 80 મદરેસાઓને છેલ્લા બે વર્ષમાં ઘણા દેશોમાંથી અંદાજે 100 કરોડ રૂપિયાનું દાન મળ્યું

Spread the love

સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ઉત્તરપ્રદેશમાં આશરે 80 મદરેસાઓને 100 કરોડ રૂપિયાના ભંડોળ મળવા બાબતે તપાસ હાથ ધરી છે. આ મદરેસાઓને છેલ્લા બે વર્ષમાં ઘણા દેશોમાંથી અંદાજે 100 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. વરિષ્ઠ અધિકારીના કહ્યા પ્રમાણે SIT હવે મુખ્ય મદરેસાઓની શોધખોળ કરી રહી છે જેના હેઠળ આ મદરેસાઓ દ્વારા આ રકમ ખર્ચવામાં આવી હતી અને તેમાં કોઈ ગેરરીતિ હતી કે કેમ?

એસઆઈટીનું નેતૃત્વ કરી રહેલા એટીએસના એડિશનલ ડાયરેક્ટર જનરલ મોહિત અગ્રવાલે કહ્યું, ‘ઉત્તર પ્રદેશમાં લગભગ 24,000 મદરેસા છે, જેમાંથી 16,500થી વધુ મદરેસા યુપી મદરેસા શિક્ષણ બોર્ડ દ્વારા માન્ય છે. તપાસમાં વિદેશી ભંડોળ મદરેસાના કેવી રીતે મળે છે અને રકમને કેવી રીતે ખર્ચ કરાઈ છે તેની પૂછપરછ હાથ ધરાશે. ટૂંકમાં એ તપાસવું પડશે કે આ પૈસાનો ઉપયોગ મદરેસા ચલાવવા કે અન્ય કોઈ કામકાજ માટે થઈ રહ્યો છે કે કેમ? તપાસ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે એસઆઈટીએ પહેલાથી જ તેના બોર્ડ પાસેથી રજિસ્ટર્ડ મદરેસાઓની વિગતો માંગી છે.

નેપાળની સરહદે લખીમપુર ખેરી, પીલીભીત, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર અને બહરાઇચ ઉપરાંત આસપાસના ઘણા વિસ્તારોમાં 1,000થી વધુ મદરેસા ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારોમાં મદરેસાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ સિવાય આ મદરેસાઓને વિદેશી ફંડિંગ મળતું હોવાની માહિતી પણ મળી હતી. જે બાદ SITની રચના કરવામાં આવી હતી. લઘુમતી વિભાગની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણી મદરેસાઓ વિદેશી ભંડોળ મેળવતી હતી.

થોડા સમય પહેલાં ATSએ બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓના ગેરકાયદે પ્રવેશમાં સંડોવાયેલી ગેંગના ત્રણ સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. તપાસમાં માલૂમ પડ્યું કે દિલ્હીથી ચાલતી NOG દ્વારા ત્રણ વર્ષમાં રૂ. 20 કરોડનું વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું હતું, જેનો ઉપયોગ તેમની મદદ માટે કરવામાં આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com