હું ક્યારેય પણ રાજીનામું આપવાનો નથી અને ક્યારેય પણ ભાજપ સાથે જોડાવાનો નથી: સુધીર વાઘાણી

Spread the love

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી

જ્યાં સુધી મારા નામની અફવા ઉડી છે તો હું એટલું જ કહેવા માંગીશ કે રાજનીતિમાં આ પ્રકારની વાતો થતી હોય છે: સુધીર વાઘાણી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની પ્રતિક્રિયા

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આજે સમાચાર આવ્યા છે કે ભુપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. એમણે જે પણ નિર્ણય લીધો તે તેમની વ્યક્તિગત બાબત છે. જ્યાં સુધી મારા નામની અફવા ઉડી છે તો હું એટલું જ કહેવા માંગીશ કે રાજનીતિમાં આ પ્રકારની વાતો થતી હોય છે. કદાચ ભુપતભાઈને ભ્રમિત કરવા માટે એવી વાત કરવામાં આવી હોઈ શકે કે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા અને ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી પણ સંખ્યાબળ કરવા માટે રાજીનામાં આપવાના છે, પરંતુ વાસ્તવિકતા એવી નથી. હું ક્યારેય પણ રાજીનામું આપવાનો નથી અને ક્યારેય પણ ભાજપ સાથે જોડાવાનો નથી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com