છ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર કરી લાશને ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની બિહાર ખાતેથી ધરપકડ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી અનુજકુમાર

અમદાવાદ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ શહેર નાઓ “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ નં-૩૭/૨૦૨૩ તા-૨૨/૦૪/૨૦૨૩ થી દાખલ થયો હતો.

આ કામે ગુમથનાર સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે પોતાની ક્રેટા ગાડીમાં (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) અરવિંદ જવાહર મહતો (૩) સુરજ બાલ્મિકી પાસવાન (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ નાઓએ સુરેશભાઇને ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદથી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે પર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાને સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુજકુમારે મળી ગળુ દબાવી સુરેશભાઈનુ મૃત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ પર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ-ટીડીની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ. જે આધારે અગાઉ આરોપી અરવિંદ જવાહર મહતોની તેના વતન બિહાર ખાતેથી લાવી પૂછપછ કરતા પોતે આગળ ચાલી જગ્યા બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુમ થનારની લાશ શોધી મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૮/૨૦૨૩ ઇપીકો કલમ-૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો દાખલ કરવામાં આવેલ.આ કામે બાકી રહેલ વોન્ટેડ આરોપીને શોધી કાઢવા સારૂ ક્રાઇમબ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ. જે આધારે મદદનીશ પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી ડી.બી.બસિયા તથા પો.સ.ઇ. વી.આર.ગોહિલ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ તથા પો.કો. અરવિંદભાઇ હરદાસભાઇ દ્વારા આરોપીઓ બાબતે તપાસ હાથ ધરેલ.આ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલને બાતમી હકીકત મળેલ કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી અનુજકુમાર સ/ઓ મકેશ્વરપ્રસાદ પ્રસાદ (કુર્મી) ઉવ.૨૧ રહે, ગામ-તાજપુર પોસ્ટ- મજવે તા.જી.જમુઇ બિહાર તેના વતનના સરનામે હાજર હોવાનુ જાણવા મળતા ટીમ સાથે બિહાર ખાતે જઇ તપાસ કરી આરોપીને અત્રે લાવી ધરપકડ કરી નરોડા પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com