મોદીની ગેરંટીની ગાડી દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે, કોઇએ વિચાર્યુ હતું કે અધિકારી અને રાજનેતા ગામો અને દેશના દરેક ખૂણે લોકોના ઘરના દરવાજે પહોંચશે ? : પીએમ મોદી

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકાસ ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા છે.

આ સાથે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ હાજરી આપી હતી. મહત્વનું છે કે ગયા વર્ષે 15 નવેમ્બરે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કર્યા બાદ તેઓ પાંચમી વખત લાભાર્થીઓ સાથે વાત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નંદ્યાલાના સૈયદ ખ્વાજા મોહિદ્દીન સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ સિવાય તેણે છત્તીસગઢના કાંકેરની રહેવાસી ભૂમિકા સાથે પણ વાત કરી. સાથે જ તેઓએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સશક્ત ભારત ત્યારે જ સુરક્ષિત થશે જ્યારે ચાર જાતિઓ – ગરીબ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો – સશક્ત થશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાને સંબોધતા મોદીએ કહ્યું કે આ યાત્રાનો સૌથી મોટો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સરકારી યોજનાઓનો કોઈ પણ યોગ્ય લાભાર્થી બાકી ન રહે.

તેમણે કહ્યું કે યાત્રા શરૂ થઈ ત્યારથી લગભગ 12 લાખ નવી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ મફત ઉજ્જવલા ગેસ કનેક્શન માટે અરજી કરી છે. પીએમ મોદીએ કહ્યું, વિકાસ ભારત સંકલ્પ યાત્રા ગરીબોના સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ રહી છે. સાથે જ તેઓએ જણાવ્યું કે મોદીની ગેરંટીની ગાડી દેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે. કોઇએ વિચાર્યુ હતું કે અધિકારી અને રાજનેતા ગામો અને દેશના દરેક ખૂણે લોકોના ઘરના દરવાજે પહોંચશે ? મોદીની ગેરંટીની ચર્ચાનો દેશ જ નહી આખી દુનિયામાં થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com