૭૫મા પ્રજાસત્તાક દિવસ નિમિતે શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી. શાહના વરદ્દહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ જે.પી. ચોક ખાનપુર ખાતે યોજાયો

Spread the love

અમદાવાદ

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ ૭૫મા પ્રજાસત્તાક દિવસ નિમિતે કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય જે. પી. ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ શહેર ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઇ પી. શાહના વરદહસ્તે યોજાયો હતો.

મહાનગરના સૌ નગરજનોને શુભેચ્છા પાઠવતા શાહે જણાવ્યું કે, આ મહામુળી આઝાદી આપણને ખુબ મોટા સંઘર્ષ અને અનેક નામી- અનામી શહીદોના બલિદાનના કારણે મળી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને આત્મનિર્ભર બનાવી વર્ષ ૨૦૪૭ એટલે કે આઝાદીની શતાબ્દી વર્ષ સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સૌએ સાથે કમર કસી કામે લાગી જવા વિંનતી કરી હતી. આજના આ પ્રસંગે સાંસદશ્રી ડૉ. કિરીટભાઈ સોલંકી, મહાનગર સંગઠનના પદાધિકારીશ્રી,ધારાસભ્યશ્રી, કોર્પોરેશનના પદાધિકારીશ્રી, કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરસ્પર મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. ભારત માતા કી જય અને વંદેમાતરમના નાદ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિથી છલકાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com