પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ પર મોટી દૂર્ઘટના ટળી છે. કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો અને એર ઇન્ડિયાના એરક્રાફ્ટના પંખા એક બીજા સાથે ટકરાયા હતા. ઇન્ડિગોની ફ્લાઇટ ટેક્સી-વેથી પસાર થતી હતી ત્યારે એરક્રાફ્ટનો ભાગ બીજા એેર ઇન્ડિયાના એરક્રાફ્ટને ટકરાયું હતું.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ આ દૂર્ઘટના બાદ સમાચાર એજન્સીને જણાવ્યું- કોલકાતા એરપોર્ટના રન વે પર અમારૂ એક વિમાન તમિલનાડુના ચેન્નાઇ જવા માટે ક્લિયરન્સની રાહ જોઇ રહ્યું હતું.
આ દરમિયાન બીજી એરલાઇન કંપનીના વિમાનના વિંગ ટિપ (પંખાના કિનારાનો ભાગ) તેની સાથે ટકરાયો હતો. એરક્રાફ્ટ તે બાદ બેમાં પરત ફર્યું હતું અને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અમે DGCA અને એરપોર્ટ ઓથોરિટી સાથે સહયોગ કરી રહ્યાં છીએ. અમને દુ:ખ છે કે આ દૂર્ઘટનાને કારણે મુસાફરોને તકલીફ પડી છે.
DGCAએ આ દૂર્ઘટના બાદ ઇન્ડિગો એરલાઇન્સના પાયલોટ પર એક્શન લીધુ છે. વિમાન કંપનીના આ પાયલોટ્સને એક દિવસનો પગાર નહીં મળે. એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં ‘રૉસ્ટર્ડ ઓફ’ હેઠલ કર્મચારીઓના કામના દિવસને ગણવામાં નહીં આવે અને તેમણે આ દિવસનો પગાર નહીં મળે. DGCAએ ઇન્ડિગોના પાયલોટ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.