રસોઈ બનાવતી વખતે ઘરમાં અચાનક આગ લાગી ગઈ અને એક જ ઘરનાં 7 લોકો જીવતાં સળગી ગયા…

Spread the love

બિહારનાં રોહતાસ જિલ્લાનાં એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના સાત લોકોનાં મોત થયા છે જ્યારે એક સભ્ય ગંભીર રીતે દાઝી ગયો છે. મૃતકોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઈબ્રાહીમપુર ગામમાં બની હતી. લોકોનું કહેવું છે કે રસોઈ બનાવતી વખતે ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં પરિવારના સાત સભ્યોના મોત નીપજ્યા હતા.

દાઝી ગયેલી એક મહિલાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં આખું ઘર પણ બળીને રાખ થઈ ગયું હતું. આ ઘટના મંગળવારે બપોરે ત્રણ વાગે બની હતી. આગ લાગી હતી ત્યારે તમામ સભ્યો ઘરમાં જ હતા.

ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. નજીકમાં રહેલા લોકોને માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવાઈ હતી. ફાયર બ્રિગેડે આવીને કાબુમાં લઈ લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલાઓમાં 30 વર્ષીય પુષ્પા દેવી, તેમની બે પુત્રીઓ, એક પુત્રનો સમાવેશ થાય છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *