2014 પછી પણ કોંગ્રેસ હોત તો આપણી સેના પર પથ્થરમારો થતો હોત : પીએમ મોદી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં ટોંક-સવાઈમાધોપુરના ઉનિયારામાં ભાજપના ઉમેદવાર સુખબીર સિંહ જૌનાપુરિયાના સમર્થનમાં જાહેરસભાને સંબોધી છે. વડાપ્રધાન મોદીએ સભામાં સંબોધન કરતાં કહ્યું હતું કે રાજસ્થાનના લોકોને વિભાજિત કરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. રાજસ્થાને આ બાબતે સાવચેત રહેવાની જરૂર છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે 2014 પછી પણ કોંગ્રેસ હોત તો આપણી સેના પર પથ્થરમારો થતો હોત, સરહદ પારથી દુશ્મનો આવતા હોત અને આપણા જવાનોનાં માથાં કાપીને લઈ જતા હોત અને કોંગ્રેસ સરકારે કંઈ કર્યું ન હોત.

વર્ષ 2004માં કોંગ્રેસે સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં એસસી-એસટીનું અનામત ઘટાડીને મુસ્લિમોને અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ એક પાયલોટ પ્રોજેક્ટ હતો. બાદમાં એને સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના હતી, પરંતુ યોજનાઓ સફળ થઈ શકી ન હતી. આ પછી 2011માં એને દેશમાં ફરીથી લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ અમે એ થવા દીધું નથી. શું કોંગ્રેસ હવે દેશની જનતાને વચન આપશે કે તે અનામતને મુસ્લિમોમાં વહેંચશે નહીં.

જાહેરસભામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અગાઉની કોંગ્રેસ સરકાર પર મિડ-ડે મીલમાં કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોના સમયગાળા દરમિયાન થયેલા આ કૌભાંડની તપાસ કરવામાં આવશે. શર્માએ દાવો કર્યો હતો કે રાજસ્થાનની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અમે વિધાનસભાની ચૂંટણીમાં જે વચનો આપ્યાં હતાં એમાંથી મોટા ભાગનાં વચનો અમે ત્રણ મહિનામાં પૂરાં કર્યાં છે.

બીજા તબક્કાની ચૂંટણી પહેલાં આજે મોદીની આ ત્રીજી મુલાકાત છે. આ પહેલાં રવિવારે તેમણે જાલોરના ભીનમાલ અને બાંસવાડામાં જાહેરસભાઓને સંબોધી હતી. ટોંક-સવાઈમાધોપુર લોકસભા સીટ પર ભાજપના જૌનાપુરિયા અને કોંગ્રેસના હરીશ મીના વચ્ચે સીધો મુકાબલો છે. મીનાને પાઇલટ જૂથના ઉમેદવાર માનવામાં આવે છે.

જ્યારે કર્ણાટકમાં ભાજપની સરકાર હતી, ત્યારે અમે સૌથી પહેલું કામ કર્યું કે તેમણે જે એસસી અને એસટી પાસેથી અનામત છીનવીને મુસ્લિમ ક્વોટા બનાવ્યો હતો.

જેમના અધિકારો હતા તેઓનું રક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ આનાથી નારાજ થઈ હતી. મોદી બંધારણને સમજે છે, બાબા સાહેબ આંબેડકરની પૂજા કરનાર વ્યક્તિ છે.

મિત્રો… સત્ય એ છે કે જ્યારે કોંગ્રેસ અને ઈન્ડીનું

ગઠબંધન સત્તામાં હતું, ત્યારે તેઓ દલિતો અને પછાત

વર્ગના અનામત ઘટાડવા માગતા હતા અને મતબેંકના

રાજકારણ માટે તેમના ચોક્કસ સમુદાયને અલગથી

અનામત આપવા માંગતા હતા.

જ્યારે બંધારણ તેની વિરુદ્ધ છે. અનામતનો અધિકાર બાબા સાહેબે દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને આપ્યો, કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ધર્મના આધારે મુસ્લિમોને આપવા માંગતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com