હવે બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાનું ટેન્શન છોડો,…વાંચો શિક્ષણ બોર્ડ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો…

Spread the love

ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનું આયોજન ગુજરાત બોર્ડ કરી રહ્યું છે. સાથે જ પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી આટોપી લેવાય તે પ્રકારની તૈયારીઓ થઈ રહી છે.ત્યારે આ તમામની વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાસ કરીને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ આખે આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. જેમાં વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ હવે વિદ્યાર્થીઓ પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેવામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી અને તેમાંય ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. આમ તો ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વધારે વિષયમાં નાપાસ થયા હોય તો તેઓ અલગ અલગ ધોરણ પ્રમાણે માત્ર એક કે બે વિષયની પૂરક પરીક્ષા જ આપી શકતા હતા.

પરંતુ આ વખતે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. જે મુજબ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં આ બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે. સાથે જ ધોરણ 12 બાદ કરિયરને લગતા કોર્સમાં કે ACPC ના કોર્સમાં પણ જે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ધોરણ 10 માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે બે વિષય ની પરીક્ષા આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com