વિવાદિત નિવેદન બાદ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે કથાકાર રાજુ બાપુને ડુપ્લિકેટ સંત ગણાવ્યા

Spread the love

કોળી સમાજ અને ઠાકોર સમાજ વિરુદ્ધ રાજુબાપુની વિવાદીત ટિપ્પણી બાદ ઠાકોર સમાજ અને કોળી સમાજમાં તેમની સામે ભારે રોષ ફેલાયો છે.. રાજુબાપુના નિવેદન બાદ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે કથાકાર રાજુ બાપુને ડુપ્લિકેટ સંત ગણાવ્યા છે.. આ મામલે રાજુ બાપુએ માફી માંગી છે પરંતુ નવઘણજી ઠાકોરે કહ્યું કે તેમણે જે રીતે માફી માંગી તે યોગ્ય નથી.

તેમણે ઠાકોર અને કોળી સમાજની સામે આવીને માફી માંગવી પડશે. જો તેઓ આમ નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા. તેમણે વાણીવિલાસ કરતા કહ્યું કે, આવા સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ લગ્ન ન કરવા જોઈએ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ તેમની નિંદા કરવામાં આવી રહી છે.

રાજુબાપુએ વિવાદ વકરતા માફી માંગી લીધી હતી અને વીડિયો જાહેર કરીને કહ્યું કે મારો કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો નહોતો. છતાં પણ કહું છું કે દરેક સમાજની ગરિમા હોય છે. કોળી અને ઠાકોર સમાજનું હું સ્વમાન જાળવવા માંગું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *