એક્ટરના હાથે ચાહકના મર્ડરથી સનસની,રેણુકા સ્વામીએ દર્શનની કથિત ગર્લફ્રેન્ડ પવિત્રા ગૌડાના ઈન્સ્ટાગ્રામ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી..

Spread the love

એક્ટર્સ માટે તો પોતાના ચાહકો ભગવાન સમાન હોય છે, ચાહકોએ જ તેને ‘મોટો’ કર્યો હોય છે પરંતુ આવો કોઈ એક્ટર ઉઠીને પોતાના ચાહકની હત્યા કરી નાખે તો કેવો આઘાત લાગે? દેશમાં આજકાલ એક્ટરના હાથે ચાહકના મર્ડરથી સનસની ફેલાઈ છે. કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર એક્ટર દર્શન થૂગુદીપાએ સુપારી આપીને પોતાના એક મોટા ચાહકની હત્યા કરી દેવડાવી હતી.

દર્શન તુગુદીપની ગયા મંગળવારે રેણુકા સ્વામી હત્યા કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. 9 જૂનના રોજ રેણુકા સ્વામીની લાશ પોલીસને નાળામાંથી મળી આવી હતી. તપાસ દરમિયાન આ કેસ સંબંધિત ઘણી ચોંકાવનારી વાતો સામે આવી હતી. રેણુકા સ્વામીએ દર્શનની કથિત ગર્લફ્રેન્ડ પવિત્રા ગૌડાના ઈન્સ્ટાગ્રામ પર વાંધાજનક ટિપ્પણીઓ અને મેસેજ પોસ્ટ કર્યાં હતા જેને કારણે તેણે સુપારી આપીને હત્યા કરાવી નાખી.

આ મામલો પોલીસના ધ્યાને આવ્યો જ્યારે કામક્ષીપાલ્ય વિસ્તારના લોકોએ મૃતદેહની શોધ અંગે પોલીસને જાણ કરી. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે બે લોકોએ પોલીસનો સંપર્ક કર્યો અને ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે જ્યારે લેવડદેવડને લઈને વિવાદ વધ્યો ત્યારે રેણુકા સ્વામીએ તેમના હાથે પોતાનો જીવ ગુમાવ્યો. પોલીસે જ્યારે આરોપીઓના ફોન કોલ ડિટેઈલ તપાસી તો જાણવા મળ્યું કે તેઓએ દર્શન સાથે ઘણી વખત વાત કરી હતી. બનાવની તારીખે લોકેશન ચેક કરવામાં આવતાં આરોપી અને દર્શનનું લોકેશન એક જ હોવાનું જાણવા મળ્યું હતું. આના પર પોલીસને લાગ્યું કે આ કેસના તાર દર્શન સાથે જોડાયેલા છે. તપાસ આગળ વધતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને હત્યાનો મુખ્ય સૂત્રધાર દર્શન જ હોવાનું બહાર આવ્યું હતું.

ચિત્રદુર્ગનો રહેવાશી રેણુકા સ્વામી દર્શનનો મોટો ચાહક હતો તે ફાર્મસી કંપનીમાં કામ કરતો હતો અને ફિલોસોફી સાથે જોડાયેલી દરેક વસ્તુ પર નજર રાખતો હતો. પછી તે દર્શનની તેના પરિણીત જીવનમાં સમસ્યાઓ હોય કે પછી પવિત્રા સાથેની સાંઠગાંઠ હોય. રેણુકાને લાગ્યું કે પવિત્રાને કારણે દર્શનના દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે. તે પવિત્રાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણીઓ કરતો હતો અને તેને મેસેજ મોકલતો હતો. તેઓને દર્શન છોડી દેવા કહેતા. જોકે, આ માટે તેણે નકલી આઈડી બનાવ્યું હતું.

રેણુકા ઘણા સમયથી ગંદા મેસેજ મોકલી રહ્યો હતો. પવિત્રાની એક રીલ પર તેણે એવી કોમેન્ટ કરી હતી જે પવિત્રા સહન ન કરી શકી અને તેણે દર્શનને તેની હત્યા કરવા ઉશ્કેર્યો હતો.

રેણુકાસ્વામીએ પવિત્રાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલતાં લખ્યું હતું કે દર્શન સાહેબ તમારી સાથે પ્રવાસ કેમ નથી કરતા. તે માત્ર તેની પત્ની વિજયાલક્ષ્‍મી સાથે જ જોવા મળે છે. રહેવા દો, તમે સમાજમાં તેમની રખાત બની જશો. એવું પણ સામે આવ્યું છે કે રેણુકા તેના પ્રાઈવેટ પાર્ટની તસવીરો સાથે ઘણા અશ્લીલ મેસેજ પણ મોકલતી હતો અને લખતો કે દર્શન કરતાં વધારે દમદાર છે.

રેણુકાની પત્ની સહાનાના નિવેદન મુજબ, દર્શનનો સાથી રાઘવેન્દ્ર જ 7 જૂનની રાત્રે તેના પતિને લઈ ગયો હતો. આ માટે દર્શનને મળવા જવાનું બહાનું કાઢવામાં આવ્યું હતું અને તેને ઝૂંપડપટ્ટીમાં લઈ જઈને બેલ્ટથી માર મારીને તથા દિવાલમાં માથું ટકરાવીને મારી નખાવીને તેની લાશ નાળામાં ફેંકી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com