બિઝનેસ ચેમ્બર CIIના પ્રમુખ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં રાહતની માંગ કરી

Spread the love

લોકસભા ચૂંટણી 2024માં બીજેપીને બહુમતી ન મળ્યા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી તેમના બજેટમાં કરદાતાઓને ટેક્સમાં રાહત આપશે કે નહીં. નાણા મંત્રાલયના અધિકારીઓ સાથે પ્રી-બજેટ મીટિંગમાં ભાગ લેનારા ઉદ્યોગના પ્રતિનિધિઓએ 30 ટકા આવકવેરાના દરના સ્લેબમાં આવતા કરદાતાઓ માટે મહત્તમ રાહતની માંગ કરી છે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા દ્વારા યોજાયેલી પ્રિ-બજેટ મીટિંગમાં બિઝનેસ ચેમ્બર CIIના પ્રમુખ સંજીવ પુરીએ 20 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં રાહતની માંગ કરી છે. આ કેટેગરીમાં આવનારા લોકો હાલમાં 30 ટકા સ્લેબમાં આવે છે.

જૂની આવકવેરા વ્યવસ્થા હેઠળ, વાર્ષિક 10 લાખથી વધુ કમાણી કરનારા લોકો 30 ટકા આવકવેરો ભરવાનું પડે છે, જ્યારે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 15 લાખથી વધુ કમાણી કરનારા લોકોને 30 ટકા આવકવેરો ભરવો પડે છે.

PHD ચેમ્બર (PHDCCI)ની ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરપર્સન મુકુલ બાગલાએ મહેસૂલ સચિવને સૂચન કર્યું છે કે 40 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ રેટ સ્લેબમાં લાવવા જોઈએ જેથી મધ્યમ વર્ગને ટેક્સના બોજમાંથી રાહત મળી શકે. તેમણે 40 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓને 20 થી 25 ટકાના ટેક્સ સ્લેબમાં લાવવાની માંગ કરી છે.

હકીકતમાં, જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ, 10 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનારા લોકોને નાણાકીય વર્ષ 2012-13થી 30 ટકા ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવ્યા છે. 11 નાણાકીય વર્ષ પૂરા થયા છતાં, 30 ટકા ટેક્સ રેટ માટે 10 લાખ રૂપિયાની આવક મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર નવી કર વ્યવસ્થામાં, 15 લાખથી વધુની કમાણી કરનારાઓ પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ કરદાતાઓ આ શાસનમાં કર કપાતનો લાભ મેળવી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com