શું તમે જાણો છો કે તુલસીના છોડ માં આ વસ્તુ નાખવાથી છોડ હંમેશા લીલોછમ રહે છે.

Spread the love

આપણા હિંદુધર્મમાં તુલસીના છોડને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખે છે કે તેના ઘર આંગણે એક સારો એવો ઘટાદાર તુલસીનો છોડ હોય. આપણા ઘર આંગણે તુલસીનો છોડ તો ઊગી જાય છે. પરંતુ તે છોડનો ગ્રોથ થતો નથી અને તે થોડાક સમય બાદ સુકાઈ જતો હોય છે. સાથે તેના પાન પણ ખરવા લાગે છે. તુલસીના છોડનો ઝડપથી વિકાસ કેવી રીતે કરવો અને તેને કેવી રીતે સાચવવો. તુલસીના વિકાસના એવા બે ઉપાય.. જે તુલસીને બારે માસ રાખશે લીલોછમ.

સૌ પ્રથમ તો તમે જોયું હશે કે તુલસી ઉગી હોય ત્યારબાદ થોડા સમય પછી તેમાં તુલસીના બીજ (માંજર) આવવાનું શરૂ થાય છે. તો મિત્રો જ્યારે પણ તુલસી પર બીજ આવે છે તેનો મતલબ એમ છે કે થોડા સમય પછી આ તુલસીના છોડનો નાશ થશે અને મૂરઝાઈ જશે. તો જો તમે તુલસીના છોડને મોટો કરવા માગો છો અને છોડનો વિકાસ કરવા માગો છો તો એ તુલસીના બીજને કાપી નાખો. તુલસીના છોડમાં ખાતર સ્વરૂપમાં શું નાખવું. તુલસીના છોડના વિકાસ માટે નાઇટ્રોજન વધુ પ્રમાણમાં હોવું જોઈએ. ગૌમુત્રમા નાઇટ્રોજનની માત્રા ભરપૂર હોય છે. ગૌમુત્ર તમને સામાન્ય રીતે મેડિકલ માંથી પણ મળી રહે છે. 1 લીટર ગૌમુત્ર અને 10 લીટર પાણીમાં મિક્સ કરી તુલસીના છોડ પર નાખી શકો છો. આ ખાતરને તમે પંદર દિવસે નાખવાથી તુલસીનો છોડ ઘટાદાર અને લીલો રહેશે.

ગૌમૂત્રમાં અનેક પોષ્હોટિક તત્વો હોય છે. જેમકે નાઇટ્રોજનન, પોટેશિયમ જે તુલસીના છોડના વિકાસ માટે ખુબ લાભદાયક છે. આ સિવાય તમે ખાતર સ્વરૂપે ગાયના ગોબરનો ઉપયોગ કરી શકો છો. આમ તો તુલસીના છોડ પર જીવ-જંતુ ખુબ જ ઓછા જોવા મળે છે. પરંતુ તુલસીના પાન પર કાળા ધાબા પડી જાય તો તેની પર ગૌમૂત્ર છાટી શકો છો. આમ તે જંતુનાશક દવાના સ્વરૂપમાં પણ કાર્ય કરે છે. લોકો તુલસીની પૂજા કરે છે ત્યારે દૂધ અને ઘીનો ઉપયોગ કરતા હોય છે. જુઓ તુલસીના છોડમાં વધુ પ્રમાણમાં ઘી અને દૂધ પડે તો ડાળીમાં ફૂગ લાગવાની શક્યતા રહે છે અને છોડ મુરઝાઈ પણ જાય છે. જો તમારો તુલસીનો છોડ ઘણા સમયથી હોય તો તેમાં espom મીઠું નાખવું જોઈએ. જે તમને કોઈપણ નર્સરી માંથી મળી જશે. જો તમને ના મળે તો ઓનલાઇન પણ મંગાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com