ગઈકાલે જે IAS ઓફિસરની પત્નીએ ઝેરી દવા ગટગટાવી હતી તેનું સારવાર દરમિયાન મોત..

Spread the love

ગાંધીનગરમાં સેક્ટર-19 ખાતે રહેતા સિનિયર આઈએએસ ઓફિસરની પત્નીએ ગઈકાલે શનિવારે ઝેરી દવા ગટગટાવી લેતાં બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું આજે સવારે 9.45 વાગ્યાની આસપાસ સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પોસ્ટમોર્ટમ સહીતની જરૂરી કાનૂની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

સૂર્યાબેન રણજીત કુમાર મૂળ તમિલનાડુના વતની હોવાના કારણે પોલીસે હાલ તમિલનાડુ તેમના પરિવારનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરી છે. હવે તમિલનાડુથી સૂર્યાબેનના પરિવારજનો આવ્યા બાદ તેમને મૃતદેહ સોપવામાં આવશે. પાપ્ત માહિતી અનુસાર, પતિ સાથેના ચાલતાં અનબનાવ બાદ પત્નીએ ગઈકાલે દવા પીધી હોવાની ચર્ચા છે.

ગુજરાત કેડરના 2005 બેચના આઇએએસ અધિકારી રણજિતકુમારનાં પત્ની સૂર્યાબેને શનિવારે સેક્ટર-19 ખાતેના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઈ જવાયાં હતાં. જ્યાં આઇસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી.

હાલ ગુજરાત વીજ નિયમન પંચ (જર્ક)માં સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં રણજિતકુમારનાં પત્ની સૂર્યાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઈ જવાયાં હતાં. ઝેરી દવાની અસરથી તેમની હાલત ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ તેમને આઇસીયુમાં દાખલ કર્યાં હતાં. જ્યારે પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા, પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી તેમનું નિવેદન લઇ શક્યા નહોતા. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ સિવિલ પહોંચ્યા હતા, પરંતુ આઇસીયુમાં હોવાથી નિવેદન લઇ શકાયું ન હતું.

બીજી તરફ આજે સવારે અચાનક તબિયત વધુ પડતી લથડી પડતાં 9.45 વાગ્યાના અરસામાં સૂર્યાબેનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ અંગે સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.નિયતિબેન લાખાણીએ કહ્યું કે, સૂર્યાબેનનું સારવાર દરમ્યાન અવસાન થયું છે. હાલમાં પોલીસ મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com