મને લાગે છે કે હું ડિવોર્સ બાદ ખૂબ જ વધારે ખુશ છું :

Spread the love

બોલિવુડ એક્ટર આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સને ત્રણ વર્ષ થઈ ચુક્યા છે. બન્નેએ 16 વર્ષ સાથે રહ્યા બાદ વર્ષ 2021માં ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો. ડિવોર્સ બાદ પણ તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. બન્ને ઘણી વખત પરિવાર અને પોતાના દિકરાની સાથે સમય પસાર કરતા જોવા મળે છે.હાલમાં જ આમિર અને કિરણે લાપતા લેડીઝ ફિલ્મ માટે કોલેબોરેટ કર્યું હતું.

આ ફિલ્મ ખૂબ જ પસંદ કરવામાં આવી. આ વચ્ચે કિરણે આમિર સાથે પોતાના ડિવોર્સને લઈને જે કહ્યું તેને સાંભળીને તમને અજીબ લાગી શકે છે. તેમણે કહ્યું કે તે ડિવોર્સ બાદ ખૂબ જ ખુશ છે. કિરણે એવું શા માટે કહ્યું?

કિરણ રાવ હાલમાં જ Faye D’Souzaના શોમાં આવી હતી. આ સમય દરમિયાન તેમણે પોતાની પર્સનલ લાઈફને લઈને ખુલીને વાત કરી છે. કિરણે કહ્યું, મને એવું લાગી રહ્યું છે કે સમય સમય પર તમને પોતાના સંબંધને ફરીથી એક નવી રીતે ડિફાઈન કરવાની જરૂર હોય છે.

એવું એટલા માટે કારણ કે આપડે જેમ જેમ મોટા થઈએ છીએ. આપણે એક વ્યક્તિના રૂપમાં ખૂબ જ બદલાઈ જઈએ છીએ. આપણને અલગ અલગ વસ્તુઓની જરૂર હોય છે. મને લાગે છે કે હું ડિવોર્સ બાદ ખૂબ જ વધારે ખુશ છું. એવું તમે આને એક હેપી ડિવોર્સ કહી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com