વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આવતા વર્ષે પણ હું 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરીશ

Spread the love

15 ઓગસ્ટ આવે એટલે વહેલી સવારે બધા ટીવી સામે ગોઠવાઈ જાય. એ જોવા માટે કે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, સલામી આપે છે ને દેશને સંબોધન કરે છે. ભારતીય સંવિધાનની આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. પણ બહુ ઓછા લોકો એ વાત જાણતા હશે કે, પંડિત જવાહરલાલ નહેરૂના નામે 17 વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રેકોર્ડ છે. બીજા નંબરે ઈન્દિરા ગાંધી છે. ગયા વર્ષે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આવતા વર્ષે પણ (2024માં) હું 11મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરીશ. આ વર્ષે એ વાત સાચી પડી છે. મોદીએ 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે 10 વખત લાલ કિલ્લા પર ધ્વજવંદન કર્યું હતું.

આ વખતે 15 ઓગસ્ટે આખો દેશ આઝાદીની 78મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. દેશ આઝાદ થયો એ પછી ઘણા વડાપ્રધાન બદલાયા. કોઈક એક ટર્મ માટે રહ્યું, તો કોઈકે સતત સરકાર ચલાવી. જેમાના એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમણે ‘હર ઘર તિરંગા’ અને ‘તિરંગા યાત્રા’ જેવી ઝુંબેશને દેશભરમાં વેગ આપ્યો. ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ સ્વતંત્રતા દિવસ પહેલા કાર્યક્રમનું આયોજન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું. 28 જુલાઈના રોજ પ્રસારિત તેમના કાર્યક્રમ ‘મન કી બાત’ રેડિયોમાં, PM મોદીએ હર ઘર તિરંગા અભિયાન વિશે વાત કરી અને લોકોને harghartiranga.com વેબસાઇટ પર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા વિનંતી કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલું વિધાન સાચું પડ્યું છે. ગયા વર્ષે 15 ઓગસ્ટે, તેમણે જાહેરાત કરી હતી કે તેઓ 2024 માં ફરીથી ધ્વજ ફરકાવશે. તેઓએ આ વચનને પૂર્ણ કર્યો છે. મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા છે. આ પહેલાં કોંગ્રેસમાંથી માત્ર જવાહરલાલ નેહરુના નામે જ સૌથી વધારે ધ્વજ વંદન કરવાનો રેકોર્ડ છે.

ગયા વર્ષે વડાપ્રધાન મોદીએ છેલ્લા એક દાયકામાં તેમની સિદ્ધિઓને પ્રકાશિત કરી હતી અને રાષ્ટ્રને ખાતરી આપી હતી કે, તેઓ ભવિષ્ય માટે રોડ મેપ સાથે પાછા ફરશે. હવે તે આગામી પાંચ વર્ષ માટે કેવું નવું વિઝન રજૂ કરશે તેના પર સૌની નજર છે. તેમ છતાં તેમનો લાંબા ગાળાનો ધ્યેય 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે, પરંતુ બદલાતા રાજકીય પરિદૃશ્ય નવા પડકારો લાવી શકે છે.

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌથી વધુ વખત તિરંગો લહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ગુલઝારીલાલ નંદા અને ચંદ્ર શેખરને વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળી નહોતી. આપણા અનુગામી વડાપ્રધાનોના અતુલ્ય યોગદાનને યાદ રાખવા માટે, ચાલો એવા વડાપ્રધાનો પર એક નજર કરીએ જેમણે સૌથી વધુ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે.

પંડિત જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લા પર સૌથી વધુ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. તેમણે 15 ઓગસ્ટ, 1947 થી 1964 સુધી સતત 17 વર્ષ સુધી ભારતીય ધ્વજ ફરકાવ્યો. તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હતા. 1920ના દાયકાના અંતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને 1930ના દાયકાની શરૂઆતમાં એક અગ્રણી નેતા બન્યા.

ઈન્દિરા ગાંધીએ તેમના બે શાસનકાળ દરમિયાન 1966 થી 1977 અને ફરીથી 1980 થી 1984 સુધી 16 વખત ધ્વજ ફરકાવ્યો હતો. તે બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હતા. ઈન્દિરા ગાંધી વડાપ્રધાનપદ સંભાળનાર પ્રથમ અને અત્યાર સુધી એકમાત્ર મહિલા છે.

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર

2004માં વડાપ્રધાન બન્યા પછી સતત 10 વખત ધ્વજ ફરકાવ્યો હતો. મનમોહન સિંહે નાણા મંત્રી (1991-96), નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર (1972-76) તરીકે પણ સેવા આપી હતી. તેમજ PM ચંદ્ર શેખરના આર્થિક સલાહકાર પણ રહ્યા છે.

નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન વડાપ્રધાન, જેમણે તાજેતરમાં તેમની વિક્રમી ત્રીજી મુદત માટે શપથ લીધા પછી ઇતિહાસ રચ્યો હતો, તેમણે 2014 થી 2023 સુધીમાં 10 વખત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો, તેમણે પુરોગામી મનમોહન સિંહના રેકોર્ડની બરાબરી કરી હતી. PM મોદી (આજે) 15 ઓગસ્ટ, 2024ના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવીને મનમોહન સિંહનો રેકોર્ડ તોડ્યો છે.

(BJP)ના આઇકોન અટલ બિહારી વાજપેયીએ 1998 થી 2004 દરમિયાન તેમના શાસન સમયે છ વખત તિરંગો ફરકાવ્યો હતો. વાજપેયીએ વડાપ્રધાન મોરારજી દેસાઈની કેબિનેટમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ભારતે 1998માં પોખરણ-|| પરમાણુ પરિક્ષણો કર્યા હતા.

રાજીવ ગાંધી અને નરસિમ્હા રાવે લાલ કિલ્લા પર 5-5 વખત ધ્વજ ફરકાવ્યો હતો. ગાંધીએ 1984-89 સુધી PM પદ સંભાળ્યું હતું, જ્યારે રાવે 1991-96 સુધી સત્તા સંભાળી હતી. રાજીવ ગાંધીની રાજકીય કારકીર્દી અનેક વિવાદોથી ઘેરાયેલી હતી, જેમ કે 1896ના કાશ્મીર રમખાણો, શ્રીલંકાના લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથેના સંઘર્ષ અને બોફોર્સ સ્કેન્ડલ વગેરે. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન LTTEના એક આત્મઘાતી બોમ્બર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.

 

લાલ બહાદુર શાસ્ત્રી (1964-66), ચૌધરી ચરણ સિંહ (1979-80), विश्वनाथ प्रताप सिंड (1989-90), એચ.ડી. દેવેગૌડા (1996-97), ઇન્દર કુમાર ગુજરાલ (1998-99)એ તેમના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વાર ધ્વજ ફરકાવ્યો છે. ગુલઝારીલાલ નંદા અને ચંદ્ર શેખર જેવા વડા પ્રધાનોને તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com