મુખ્યમંત્રીએ ( દાદાએ ) મધ્યાહન ભોજનમાં સવારનો નાસ્તો બંધ કરાવ્યો, હવે બપોરનું ભોજન જ મળશે….

Spread the love

ગુજરાત સરકારના એક નિર્ણયથી 43 લાખ ગરીબ બાળકોને મોટો ઝટકો લાગવાનો છે. રાજ્ય સરકારે ગરીબ બાળકોને આપવામાં આવતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. પરંતુ હવે એવું નહીં થાય. આગામી 1 સપ્ટેમ્બરથી બાળકોને માત્ર બપોરનું ભોજન જ મળશે, નાસ્તો સદંતરે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગરીબ બાળકો માટે સરકારી સ્કૂલો તો એક પછી એક બંધ થઈ રહી છે, હવે આ વખતે વારો મધ્યાહન ભોજનનો આવ્યો છે. ગુજરાત સરકારની મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેતા 43 લાખ ગરીબ બાળકો માટે આ સમાચાર માઠા છે. સરકારે બાળકોને અપાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. પરંતુ નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2017ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કર્યું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ સરકાર તેની એક પછી એક જાહેર સેવા ઘટાડી રહી છે.

શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com