Gj ૧૮ પાસે આવેલી નદીમાં ૧૦ ડૂબી જતાં મોત, વાંચો કઈ જગ્યાએ

Spread the love

ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે 10 લોકો ડૂબી જતા પાંચના મોત થયા છે જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે જેમાં કુલ 12 લોકોનાં મોત નીપજી ચૂક્યાં છે. બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતાં ચાર લોકોનાં, જ્યારે નડિયાદમાં 2 અને જૂનાગઢમાં 1 યુવકનું મોત નીપજ્યું હતું.

દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા. જેની જાણ થતા જ દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહીયલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પાંચ લાશો મળી આવી હતી. જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com