સોશિયલ મીડિયા પર હાલ એક નામ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, તે છે ‘ઓશિન શર્મા’. હિમાચલ પ્રદેશના મંડી વિસ્તાર હેઠળના સંધોલમાં તલાટી તરીકે તહેનાત ઓશિનની બદલી કરવામાં આવી છે. જે બાદ ઓશિન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.ઈન્સ્ટાગ્રામ પર તેના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર તેની એક્ટિવિટીને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે.કામમાં વિલંબ બાદ નોટિસ જારી કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની બદલી કરવામાં આવી છે.
હકિકતમાં મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગન ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ધરમપુરના પ્રવાસે હતા. તેમણે ધરમપુરના તલાટી સંધોલ અને નાયબ તલાટી મંડપ અને તેહરાના રેવન્યુ રેકોર્ડની તપાસ કરી, જેના પછી ઈન્ટકલ, જમાબંધી સહિતના ઘણા કેસ લાંબા સમયથી પેન્ડિંગ જણાયા. આ પછી તેણે ઓશિન શર્માને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ ઉપરાંત 11 કર્મચારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
મહેસૂલ કાર્યમાં બેદરકારી બદલ નોટિસ જારી કર્યા પછી, હિમાચલ સરકારે તેમને આગામી નિમણૂકના આદેશ સુધી કર્મચારી વિભાગમાં ટ્રાન્સફર કરી દીધા છે.
ચાર્જ સંભાળ્યા બાદ મહિલા અધિકારી ઓશિને પણ કડક વલણ દાખવ્યું હતું. ખનન માફિયાઓને પકડી પાડવાના ઈરાદે રાત્રીના સમયે કોતરોમાં પહોંચી ગઈ હતી. તે દરમિયાન તેનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.તે દરમિયાન લોકોએ તેમના વખાણ પણ કર્યા હતા. પરંતુ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર તેમનું કામ જોવામાં આવ્યું ત્યારે તેમાં વિલંબ થતો જોવા મળ્યો હતો. જે બાદ તેમને નોટિસ આપવામાં આવી હતી.
ઓશિન શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3 લાખ 53 હજાર ફોલોઅર્સ છે. તે જ સમયે, ફેસબુક પર તેના 2 લાખ 96 હજાર ફોલોઅર્સ છે.