ચાની ચૂસકી મારતા જ એક પરિવારના ત્રણ લોકોના મોત

Spread the love

હકીકતમાં બંસવાડા જિલ્લાના અંબાપુરા સ્ટેશન વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા, જ્યારે તેમણે ચા પીધી. મળતી માહિતી પ્રમાણે કીટનાશક યુક્ત ચા પીવાથી બધાનું મોત થયું. પોલીસે આ મામલામાં જણાવ્યું કે આ ઘટના રવિવારે બની, જ્યારે પરિવારના એક સભ્યે ચાની પત્તી સમજીને ચામાં કીટનાશક દવા ભેળવી દીધી. અંબાપુરા પોલીસ અધિકારીએ કહ્યું કે પરિવારના સભ્યો અને તેમના એક પાડોશીએ રવિવારે ચા પીધી હતી.

ચા બનાવતા દરમિયાન પરિવારના એક સભ્યે ચાની પત્તી સમજીને ભૂલથી તેમાં કીટનાશક દવા મિક્સ કરી દીધી હતી. કીટનાશક યુક્ત ચા પીવાથી બધાની તબિયત બગાડવા લાગી. જેમણે ચા પીધી હતી તે લોકોને ઊલટીઓ થવા લાગી. આ બાદ બધાને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું બાદમાં તેમણે ઉદયપુરના એમબી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં જે લોકોનું મોત થયું છે, તેમની ઓળખ દરિયા (53), તેમની બહુ ચંદા(33) અને ચંદાનો 14 વર્ષનો દીકરો અક્ષયના રૂપે થઈ કે. ત્યારે દરિયાના સસરા, ચંદાના પતિ અને તેમના પાડોશી અત્યારે ICUમાં એડમિટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *