આટલા દિવસ ‘માણેક ચોક’ બંધ રહેશે… અમદાવાદીઓને થોડાક દિવસ નાસ્તાની મજા માળવા બીજે જવું પડશે

Spread the love

અમદાવાદ

અમદાવાદમાં ખાણીપીણી પ્રેમીઓ માટે એક અણપક્ષપાતી સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત માણેકચોક ખાણી પીણી બજાર એક મહિના માટે બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડ્રેનેજ લાઇન રિહેબિલિટેશનના કામને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમુક જરૂરી કામકાજના કારણે, માણેકચોક બજાર થોડા સમય માટે બંધ રહેશે, જેથી સુવિધાઓ સુધારી શકાય. માણેકચોક એ અમદાવાદની એક અનોખી ઓળખ છે, જ્યાં ખાણીપીણીનો સ્વાદ ચાખવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે. જોકે, હવે આ બજારની પ્રવૃત્તિઓમાં થોડા સમય માટે વિરામ આવશે. AMCએ શહેરના મધ્ય ઝોનમાં 55 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી છે. હાલમાં તેના માટે સર્વેનું કામ ચાલી રહ્યું છે, જે પૂરુ થયા બાદ રિહેબિલિટેશન પ્રક્રિયા હાથ ધરાશે. આ કામના ભાગરૂપે, માણેકચોક બજાર એક મહિના માટે બંધ રાખવાની શક્યતા છે. એવું અનુમાન છે કે હોળીના તહેવાર બાદ આ કામગીરી શરૂ થશે. જો માણેકચોક લાંબા સમય માટે બંધ રહે, તો ત્યાંના વેપારીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને તેમના ધંધા રોજગાર પર અસર પડશે. ખાણીપીણી પ્રેમીઓને પણ તેમની પ્રિય જગ્યાથી એક મહિના સુધી દુર રહેવું પડશે. AMC ક્યારે આ કામ શરૂ કરશે અને કેટલા સમયમાં પૂરુ કરશે, એ જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *