પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ ૮ અને ૯ એપ્રિલે અમદાવાદ યોજાશે

Spread the love

તારીખ ૮ એપ્રિલે શાહીબાગના ‘સરદાર સ્મારક’માં સવારે ૧૧:૩૦ કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક , ૯ એપ્રિલના રોજ ઐતિહસિક સાબરમતી તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે

અમદાવાદ
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અંગે જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે તારીખ ૮ અને ૯ એપ્રિલએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે. ઘણા લાંબા સમય પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ કોંગ્રેસ પક્ષની સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ ૧૮૮૫માં મળ્યું હતું. વર્ષ ૧૯૩૮માં ગુજરાતમાં યોજાયેલ હરીપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મુળિયા રોપવામાં આવ્યા હતા. હરીપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજ (સંપૂર્ણ સ્વતંત્રતા) નો ઠરાવ પાસ કર્યો હતો. સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી નું વર્ષ ૨૦૨૫ છે ત્યારે તારીખ ૮ એપ્રિલે ૨૦૨૫ના રોજ શાહીબાગના સરદાર સાહેબના સમારક ‘સરદાર સ્મારક’માં સવારે ૧૧:૩૦ કલાકે કોંગ્રેસ પક્ષની મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાનાર છે. ગુજરાતમાં યોજાનાર સીડબલ્યુસીમાં કોંગ્રેસ અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગેજી, લોકસભા વિપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાશ્રી સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખશ્રીઓ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ ઉપસ્થીત રહેશે. આ અધિવેશનમાં ગુજરાત કોંગ્રેસના વિશેષ આમંત્રિત સભ્યો પણ ભાગ લેશે. તા.૮ એપ્રિલના રોજ સાંજે ૫ કલાકે પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રીઓ, સીડબલ્યુસીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યશ્રીઓ ભજન અને પ્રાર્થના સભામાં હાજર રહેશે. આજથી ૧૦૦ વર્ષ પહેલા દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણી મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. સરદાર સાહેબ ગુજરાત કોંગ્રેસના પ્રથમ અને સૌથી લાંબા સમયના પ્રમુખ તરીકે રહ્યા હતા જેથી ગુજરાતમા આયોજિત રાષ્ટ્રીય અધિવેશનનું વિશેષ મહત્વનું છે. તારીખ ૮ એપ્રિલના રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સહીત તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. તારીખ ૯ એપ્રિલના રોજ ઐતિહસિક સાબરમતી તટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી ૩૦૦૦થી વધુ ડેલીગેટ ઉપસ્થિતિ રહેશે.
CWC ના મેમ્બર અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જાણાવ્યું હતું કે બેલગાવ અધિવેશન બાદ છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં યોજાનાર અધિવેશન માટે સતત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો રોડમેપ અને આયોજન કરી રહ્યું છે ગુજરાત આખા દેશને શું આપશે તે અંગે લોકોમાં ઉત્સાહ છે. જે પ્રમાણે તૈયારી થઈ રહી છે તે ગુજરાત અને દેશને નવી દિશા આપશે. રાષ્ટ્રીય અધિવેશનની યજમાનીએ ગુજરાત કોંગ્રેસ માટે ખુબ જ ગૌરવપૂર્ણ બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *