રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ચીન પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે આખી દુનિયા મંદી વિશે ચિંતિત થઈ ગઈ અને આ સાથે એપલ કંપનીએ પણ પોતાના મગજનો ઉપયોગ કર્યો. એપલને ખ્યાલ આવ્યો કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેને ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું સીધું નુકસાન થઈ શકે છે. તે મુશ્કેલ સમયમાં ભારત પાસેથી મદદ માંગવામાં આવી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો અને થોડી જ વારમાં 900 ટન આઇફોન અમેરિકા મોકલવામાં આવ્યા.
અહીં સમજવા જેવી વાત એ છે કે અમેરિકાએ હાલમાં ચીન પર ૧૨૫ ટકા ટેરિફ લાદ્યો છે. આવામાં જો ચીનથી આઇફોન સપ્લાય કરવામાં આવે તો કંપનીને ૧૨૫ ટકા ટેરિફનો સીધો ફટકો પડત. આવી સ્થિતિમાં એપલે ભારતમાં તેનો પુરવઠો વધારવાનો નિર્ણય લીધો. તે પણ એટલા માટે કે ટ્રમ્પે હાલમાં ભારત પર ફક્ત ૨૬ ટકા ટેરિફ લાદ્યો છે અને તે પણ હાલમાં ૯૦ દિવસ માટે પ્રતિબંધિત છે. આવામાં જો એપલ તેના આઇફોન ભારતમાંથી અમેરિકા મોકલે છે તો તેને કોઈ વધારાનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.
બીજા શબ્દોમાં કહીએ તો, જો એપલ તેનો આઇફોનચીનથી યુએસ મોકલે છે. તો ટેરિફને કારણે તેની કિંમત 2,300 સુધી પહોંચી જશે. પરંતુ એપલે પોતાના મગજનો ઉપયોગ કર્યો અને ભારત સરકાર પાસે મદદ માંગી. હવે તેનું પરિણામ એ છે કે માર્ચથી અત્યાર સુધીમાં ભારતમાંથી ૬ કાર્ગો ફલાઇટ્સ રવાના થઈ છે, દરેક કાર્ગોની ક્ષમતા પણ ૧૦૦ ટન હોવાનું કહેવાય છે.
આ ઉપરાંત ચેન્નાઈ એરપોર્ટ પર કસ્ટમ ક્લિયરન્સનો સમય પણ 30 કલાકથી ઘટાડીને ૬ કલાક કરવામાં આવ્યો. આને ગ્રીન કોરિડોર સિસ્ટમ કહેવામાં આવે છે. હવે ભારતની મદદથી એપલે દરેક આઇફોન પર સરેરાશ ૪૦૦ નો ટેક્સ બચાવ્યો છે, જો આપણે કુલ આંકડાઓ પર નજર કરીએ તો, ૫૧૦૦ કરોડ રૂપિયાની ટેક્સ બચત થઈ છે. નિષ્ણાતો માને છે કે એક સુનિયોજિત વ્યૂહરચનાના ભાગ રૂપે એપલ હવે ભારતને તેનું ઉત્પાદન કેન્દ્ર બનાવવા માંગે છે.