નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમાં જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 18મી થી તારીખ 20મી, જૂન સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં યોજવામાં આવશે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દિવસે એક પ્રાથમિક શાળા અને બે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી કરાવવામાં આવશે. વધુમાં જિલ્લાકક્ષાએથી આવનાર પદાધિકારીઓ અને અધિકારીઓના રૂટ તેમજ કીટ આપવાની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે. એકપણ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણથી વંચિત રહે નહી તે માટે રાજ્ય સરકાર દ્વારા નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ તત્કાલિક મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલુ વર્ષના નવા શૈક્ષણિક વર્ષ-2025-26માં શાળા પ્રવેશોત્સવની ઉજવણીની તારીખો રાજ્યના શિક્ષણ વિભાગે નક્કી કરી દીધી છે.
શહેરી વિસ્તારની અને ગ્રામ્ય વિસ્તારની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તારીખ 18મી, મે, બુધવારથી તારીખ 20મી, મે, શુક્રવાર સુધી યોજવામાં આવનાર છે. જોકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને આવરી લેવાય તે માટે દરરોજ એક પ્રાથમિક શાળા, એક માધ્યમિક અને એક ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે. ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કેટલા વિદ્યાર્થીઓ બાલવાટીકા, ધોરણ-1, ધોરણ-9માં પ્રવેશ લેનાર છે. તેની આંકડાકિય માહિતીનું સંકલન કરવા માટે સર્વે કરવાનો આદેશ કર્યો છે. ઉપરાંત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહેનાર જિલ્લાકક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓને શાળા પ્રવેશોત્સવની કીટ તેમજ રૂટની યાદી મળી રહે તે માટેની કામગીરી કરવાની રહેશે. તેમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભમાં જ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 18મી થી તારીખ 20મી, જૂન સુધી ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓમાં યોજવામાં આવશે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દિવસે એક પ્રાથમિક શાળા અને બે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી કરાવવામાં આવશે.