ચુંટણી આચારસંહિતામાં ફક્ત બે પક્ષોના ઝંડા ઉતર્યા

Spread the love

GJ-18 ખાતે ચુંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ગાંધીનગર મનપા દ્વારા ચુંટણી આચારસંહિતાને લઈને રોડ, રસ્તા તથા સેક્ટરોમાં ઝંડા જે રાજકીય પક્ષોના લગાવ્યા હોય ત્યાં મનપા ત્રાટક્યું હતું ત્યારે રાજકીય પક્ષોના ઝંડા પોસ્ટરો ફક્તને ફક્ત ૨ પાર્ટીના જ ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં ત્યારે ટુંકમાં જે ઝંડા, પોસ્ટરો ઠલવાયેલા છે તે કોંગ્રેસ અને આપ પાર્ટીના છે. ત્યારે એકપણ ઝંડા, પોસ્ટરો ભાજપના દેખાતા નથી ત્યારે આવું કેમ ?
ગાંધીનગર મનપામાં દબાણ શાખાને સુચના આપી છે કે ફક્ત આ રાજકીય પક્ષોના જ ઝંડા ઝોળી કાઢવાની બાકી રહેવા દેવાની ત્યારે ટ્રકમાં એકપણ પોસ્ટર ભાજપનું દેખાતું નથી. મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ફરીને તમામ જગ્યાએથી જે રાજકીય બેનરો લગાવવામાં આવ્યા છે તેમાં ફક્ત ટાર્ગેટ બે જ રાજકીય પક્ષોને કર્યા હોય તેવું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *