ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કરી શકે છે ઈરાન?!

Spread the love

 

 

UNની આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)એ રવિવારે જણાવ્યું હતું કે ઈરાન થોડા મહિનામાં તેનો ન્યૂક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કરી શકે છે. IAEAના ડિરેક્ટર રાફેલ ગ્રોસીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈરાનની કેટલીક પરમાણુ સુવિધાઓ હજુ પણ અકબંધ છે. ગ્રોસીએ કહ્યું,”ઈરાન પાસે 60% શુદ્ધ યુરેનિયમનો ભંડાર છે, જે પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ભંડાર અમેરિકાના હુમલા પહેલા દૂર કરવામાં આવ્યો હતો કે તેનો નાશ કરવામાં આવ્યો હતો”. ઇઝરાયલે 13 જૂને ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણા પર હુમલા શરૂ કર્યા હતા. બાદમાં અમેરિકાએ B-2 બોમ્બરોથી હુમલો કરીને ઈરાનના ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પરમાણુ ઠેકાણાઓનો નાશ કરવાનો દાવો કર્યો હતો. હુમલાઓ પછી, ઈરાને IAEAને ફોર્ડો પરમાણુ ઠેકાણાની તપાસ કરતા અટકાવ્યું. ઈરાને IAEA સાથેની તેની ભાગીદારી તોડી નાખી છે. ગ્રોસીએ કહ્યું કે, પરમાણુ ઠેકાણાઓએ શું છે અને શું થયું તે જાણવું મહત્વપૂર્ણ છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ બંધ કરવાની ચેતવણી આપી છે. અરાઘચીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ટ્રમ્પનું વલણ માત્ર ખોમેનીનું જ નહીં, પરંતુ તેમના લાખો સમર્થકોનું પણ અપમાન કરે છે. જો ટ્રમ્પ ઈરાન સાથે સોદો ઇચ્છે છે, તો તેમણે પોતાની ભાષા બદલવી પડશે. અરાઘચીનું આ નિવેદન ટ્રમ્પના તે દાવા બાદ આવ્યું છે જેમાં અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમણે ખોમેનીને મરતા બચાવ્યા હતા, નહીં તો તેમનું મૃત્યુ ખૂબ જ ખરાબ થયું હોત.
અરાઘચીએ ઇઝરાયલ પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે ઈરાની મિસાઇલો પડે છે, ત્યારે ઇઝરાયલ ડરથી ‘પપ્પા પાસે દોડવા’ મજબૂર થાય છે. ટ્રમ્પને પહેલા નાટોના વડા માર્ક રુટે મજાકમાં ‘પપ્પા’ કહ્યા હતા. હકીકતમાં ટ્રમ્પ યુદ્ધવિરામ ભંગ કરવા બદલ ઇઝરાયલ અને ઈરાન પર ગુસ્સે હતા. આ દરમિયાન તેમણે અપશબ્દોનો ઉપયોગ કર્યો. આના જવાબમાં નાટો ચીફે મજાકમાં કહ્યું, “પપ્પાને ક્યારેક તેમને રોકવા માટે કઠોર ભાષાનો ઉપયોગ કરવો પડે છે.” બાદમાં આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઇરલ થયું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 27 જૂને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેનીના એ દાવાની નિંદા કરી હતી કે તેમણે ઇઝરાયલ સામેના યુદ્ધમાં વિજયની ઘોષણા કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર કહ્યું- ‘મેં ખોમેનીને ભયાનક અને અપમાનજનક મૃત્યુથી બચાવ્યા. મને આશા પણ નથી કે તે મારો આભાર માનશે.’ અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેઓ ખોમેનીના ઠેકાણાથી વાકેફ હતા, પરંતુ તેમણે ઇઝરાયલ અને અમેરિકી દળોને તેમની હત્યા કરતા અટકાવ્યા, આમ તેમનો જીવ બચાવ્યો. તેમણે વધુમાં કહ્યું, ‘વૈશ્વિક વ્યવસ્થામાં જોડાવાને બદલે, ઈરાન ગુસ્સો અને દુશ્મનાવટ બતાવી રહ્યું છે, જેના કારણે તેની સેના, અર્થતંત્ર અને ભવિષ્ય બરબાદ થઈ ગયું છે.’ આના એક દિવસ પહેલા, ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે કહ્યું હતું કે, ઇઝરાયલ ઈરાનના સર્વોચ્ચ નેતાને ખતમ કરવા માગે છે. કાત્ઝે ચેનલ 13 સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, ‘જો ખોમેની અમારી પહોંચમાં હોત, તો અમે તેમને મારી નાખત.’ કાત્ઝે કહ્યું, ‘ઇઝરાયલ ખોમેનીને ખતમ કરવા માગતો હતો, પરંતુ તેમ કરવાની કોઈ તક નહોતી.’ જ્યારે કાત્ઝેને પૂછવામાં આવ્યું કે શું ઇઝરાયલે અમેરિકા પાસેથી પરવાનગી માગી છે, ત્યારે તેમણે કહ્યું, ‘આ બાબતો માટે અમને કોઈની પરવાનગીની જરૂર નથી.’
ઈરાનના ન્યાયતંત્રે રવિવારે જણાવ્યું હતું કે, 23 જૂને તેહરાનની એવિન જેલ પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 71 લોકો માર્યા ગયા હતા. આ એક કુખ્યાત જેલ છે જ્યાં ઘણા રાજકીય કાર્યકરો રાખવામાં આવે છે. માર્યા ગયેલા લોકોમાં જેલ સ્ટાફ, સૈનિકો, કેદીઓ અને મળવા આવેલા પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com