કોરોનાની મહામારીમાં અનેક નેતાઓ સંક્રમિત થયા છે. ત્યારે કોંગ્રેસ ના પ્રદેશના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા નો RT-PCR રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ ને ક્વોરોન્ટાઈન થવા અને ટેસ્ટ કરાવવા અપીલ કરેલ છે. હાલ પોતે યુ.એન.મહેતામાં સારવાર હેઠળ છે. ત્યારે ભાજપ પ્રદેશ કિશાન મોરચાના મંત્રી હિતેન્દ્ર પટેલ, તેમના ધર્મ પત્ની, અને પુત્રવધુ કોરોના પોઝીટીવ આવતા હાલ હિતેન્દ્ર પટેલના પત્ની અને પુત્રવધુ સારવાર હેઠળ હોસ્પીટલ માં છે, ત્યારે હિતેન્દ્ર પટેલ પોતે ક્વોરોન્ટાઈન થયા છે.