ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થઈ શકે છે, સાવધ રહેવુ જરૂરી : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

Spread the love

 

નવી દિલ્હી,
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ રવિવારે ‘બિયોન્ડ બોર્ડર્સ’ પુસ્તકના વિમોચન પ્રસંગે વૈશ્વિક પરિસ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વર્તમાન સંઘર્ષો એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે જ્યાં વિશ્વ યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળી શકે છે, તેથી સાવધાન રહેવાની તાતી જરૂર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી એ સ્પષ્ટપણે કહ્યું કે, “ઇઝરાયલ અને ઈરાન તેમજ રશિયા અને યુક્રેનમાં યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ છે.
પરિસ્થિતિ એવી છે કે આ બે યુદ્ધોની પૃષ્ઠભૂમિમાં ગમે ત્યારે વિશ્વ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, યુદ્ધ સંબંધિત ટેકનોલોજીકલ પ્રગતિએ યુદ્ધના પરિમાણો બદલી નાખ્યા છે, જેના કારણે માનવતાનું રક્ષણ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. મિસાઇલો અને ડ્રોનનો વધતો ઉપયોગ ટેન્ક અને અન્ય પ્રકારના વિમાનોની સુસંગતતા ઘટાડી રહ્યો છે, જ્યારે નાગરિક વસાહતો પર ઘણીવાર મિસાઇલો છોડવામાં આવે છે, જે એક ગંભીર સમસ્યા ઊભી કરી રહી છે.
ભાજપ ના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી એ મહાસત્તાઓની સરમુખત્યારશાહી અને આપખુદશાહી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આના કારણે સંકલન, પરસ્પર સંવાદિતા અને પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં સંઘર્ષનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, “આ કહેવું યોગ્ય રહેશે નહીં, પરંતુ આ બધું ધીમે ધીમે વિનાશ તરફ દોરી રહ્યું છે.” નીતિન ગડકરી એ ભારતને સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધની ભૂમિ ગણાવતા, આંતરરાષ્ટ્રીય ઘટનાઓની સમીક્ષા કરવાની અને વિચાર-વિમર્શ પછી ભવિષ્યની નીતિ ઘડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આવા ગંભીર મુદ્દાઓ પર વૈશ્વિક સ્તરે ચર્ચા કરવાની તાત્કાલિક આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *