માધુપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ : બે જૂથના લોકો રસ્તા પર ઉતરી આવ્યા

Spread the love

 

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા રામલાલના ખાડા પાસે ગઈકાલે બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને તેમણે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. સામાન્ય એક્ટિવા અથડાવા જેવી બાબતમાં બે જૂથના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે હાલ 10 જેટલા લોકો સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે મોડી રાતે બનેલી આ ઘટના દરમિયાન કાયદો અને વ્યવસ્થાને કાબુમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે (13 જુલાઈ) રાતે રામલાલના ખાડા માધુપુરા વિસ્તારમાં સુતરીયા સોસાયટી નજીક એક જૂથના વ્યક્તિએ બીજા જૂથના યુવકને એક્ટિવા અથડાવી દીધી હતી. થોડીવારમાં આ મામલો એકદમ ઉશ્કેરાટમાં પલટાઈ ગયો હતો અને ધીમેધીમે બંને જૂથના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોઈ વાત આગળ વધે તે પહેલા જ બંને તરફથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ બનાવના સ્થળે પહોંચ્યા હતા. આ બનાવવામાં 25થી વધુ લોકોનું ટોળું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને પકડી માડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસ ચોંપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે બંને જૂથના લોકો ધીમેધીમે એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા અને મામલો ઉશ્કેરાયો હતો. હાલ તમામ સામે ધરપકડ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *