રાજસ્થાન શાળા દુર્ઘટનાના મૃતકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Spread the love

 

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદ ગામમાં ગઈકાલે સવારે એક કરુણ ઘટના બની હતી. પ્રાથમિક શાળાના વર્ગખંડનો સલેબ તૂટી પડતાં અનેક બાળકો કાટમાળમાં દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 7 બાળકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં અન્ય કેટલાક બાળકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે દરેક મૃતક બાળકના પરિવારને રૂપિયા 15,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. કુલ 1,05,000 રૂપિયાની આ સહાય રાશિ સ્થાનિક રામકથાના શ્રોતાઓની મદદથી પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. સાથે જ તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *