વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કર્યા બાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્યના 3 IAS અધિકારીઓની બદલીના આદેશ કર્યાં છે. મોડીરાત્રે 3 સચિવની બદલી થતા સરકારી આલમમાં તર્ક વિતર્કો ઉઠ્યા છે.
આ ત્રણ IASની બદલી કરાઈ
1. આઈએએસ અધિકારી મોના ખાંધારની બદલી ફૂડ અને સિવિલ સપ્લાય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણુંક કરવામાં આવી
2. આર.સી. મીનાને બંદર તથા વાહન વ્યવહાર વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા
3. પી ભારતીને GST વિભાગમાંથી ખસેડીને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં સચિવ તરીકે નિમણુંક કરાઈ