ગુજરાતમાં કોરોના તરખાટ મચાવે છે ત્યારે સૌથી વધુ મુખ્ય જરૂરિયાત જે લોકો ઘરે હોમ ક્વોરોન્ટાઈન હેઠળ છે. તેમને વાંધો નથી પણ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી છે તેમાં ક્યાંય પણ બેડ મળતા નથી ઓક્સિજન મળતો નથી ત્યારે ઘરે જ સારવાર કરી લેવાની નથી અને જે લોકો કોરોના પોઝિટિવ નથી તેમણે તમામ દવાઓ ઇન્જેક્શન અને ખાસ ઓક્સિજનના બાટલા ઓની સંગ્રહખોરી કરીને ગંભીર હાલત ઉભી કરી દીધી છે દર્દીઓને ઑક્સિજન મળતો નથી બીજી તરફ એવી ફરિયાદો ઉઠવા પામી છે કે શહેર અને ગામડાઓમાં કેટલાક લોકોએ પરિવારમાં કોરોના મા કોઈ દર્દી ન હોવા છતાં અથવા તો કોઈ જાણીતા સંક્રમિત થયા હોય તો તેમની તબિયત બગડે તો ઓક્સિજન માટે દોડાદોડી થાય નહીં એટલે જ્યાંથી મળે ત્યાંથી ઓક્સિજનના બાટલા ઘરમાં સંગ્રહ કરી રાખ્યા છે. GJ – ૧૮ ખાતે શહેરમાં હાલ ઓક્સિજનની તીવ્ર અછત ઊભી થઈ છે દર્દીઓ માટે ઓક્સિજનના બાટલા માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે દર્દીઓ માટે ઓક્સિજન પર આવવા માટે પરિવારના સભ્યો ઔદ્યોગિક વિસ્તાર એવી જીઆઇડીસીમાં પણ નજર દોડાવી રહ્યા છે અને જે કોન્ટેક નંબર મળે ત્યાં દોડી ચાલુ છે દરમિયાન એવું વિગતો પ્રાપ્ત થઈ છે કે તાલુકામથકો જેમાં માણસા કલોલ દહેગામ જેવા વિસ્તારોમાં ગામડાઓમાં કેટલાક લોકો જરૂર ન હોવા છતાં ઓક્સિજનના બાટલા ભેગા કરી રાખ્યા છે સંકટના સમયમાં પણ આવી સંગ્રહખોરી સામે સરકારી તંત્ર ત્રાટકવાની જરૂર છે. GJ – ૧૮ ખાતે ઓક્સિજનના બાટલા આપનારી રાજકોટની અનેક સેવાભાવી સંસ્થાઓ માટે હાલ સમસ્યાએ સર્જાઈ છે કે કોઇનો જીવ બચાવવા માટે ઓક્સિજનના બાટલા આપ્યા પછી કેટલાક લોકો એવી છે કે ફરીથી સંસ્થાને પરત આપવામાં આવ્યા નથી.