ટેરિફના કારણે ભારતનું ડાયમંડ હબ પર ગંભીર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે

Spread the love

 

ટ્રમ્પના ટેરિફ યુદ્ધે દેશમાં આર્થિક સંકટ ઊભું કર્યું છે. આ ટેરિફના કારણે ભારતનું સૌથી મોટું ડાયમંડ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગ પર ગંભીર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે. અત્યાર સુધી ડાયમંડ અને જ્વેલરી ઉપર 13.5 ટકા સુધીનો ટેરિફ હતો. 1 ઓગસ્ટથી 25 ટકા અને ત્યારબાદ 50 ટકા કરી દેવાતા ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર ભય મંડરાઈ રહ્યો છે.
ભારતે વર્ષ 2024માં અમેરિકાને 9,236.46 મિલિયન ડોલરના હીરા અને ઝવેરાતની નિકાસ કરી હતી. જો કે ટેરિફ બાદ સુરતની મોટી હીરા કંપનીઓ અમેરિકી ગ્રાહકો પાસેથી ક્રિસમસ માટે મળતા ઓર્ડરને કેન્સલ કરી રહી છે. ભારતમાં તહેવારોની સીઝન આંતરરાષ્ટ્રીય બજારોમાં કુલ વાર્ષિક વેચાણનો લગભગ અડધો ભાગ હોય છે. જેથી આ એક મોટો ફટકો છે.
હીરાની કટાઈ, પોલિશિંગ, સોના-ચાંદીને અલગ કરવા અને આભૂષણ તૈયાર કરવામાં સામેલ લાખો લોકો માટે મુશ્કેલી ઊભી થશે. આગામી મહિનાઓમાં કુલ 50 ટકા ટેરિફ લાગુ થવાથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને સૌથી વધુ નુકસાન થશે. લગભગ એક લાખથી વધુ નોકરીઓ પર સંકટ ઊભું થઈ શકે છે.
કાપેલા અને પોલિશ કરેલા હીરાની નિકાસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાને નિકાસ પહેલેથી જ 25 ટકા સુધી ઘટી ગઈ હતી. જો ટ્રમ્પનો ટેરિફ પરનો આ કડક વલણ ચાલુ રહેશે તો નિકાસમાં વધુ ઘટાડો થશે અને દેશને આર્થિક રીતે મોટું નુકસાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *