વિદ્યાર્થીની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ

Spread the love

 

 

સેવન્થ ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ આજે ફરીથી શિક્ષણ કાર્ય ઓનલાઇન શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.DEO કચેરીના ચાર અધિકારીઓને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે જેથી જે વાલીઓ સ્કૂલમાંથી પ્રવેશ નીકાળીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હશે તેમને ટીમ દ્વારા મદદ કરવામાં આવશે.આવતીકાલે સ્કૂલની નોટિસનો સમય પૂર્ણ થતા સ્કૂલ દ્વારા જવાબ રજૂ કરવાનો રહેશે.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો સર્જાયો હતો.સ્કૂલમાં તોડફોડ અને આંદોલન પણ થયું હતું.સ્કૂલની અંદર અને બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.ગત મંગળવારથી સ્કૂલમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ હતું જે આજથી શરૂ કરવામાં આવ્યું છે.DEO ની સૂચનાથી ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હજુ ઓનલાઇન કે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી.મહત્વનું છે કે સેવન્થ ડે સ્કૂલમાં 10,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
સ્કૂલમાં બનેલી ઘટના બાદ ઘણા વાલીઓ પોતાના બાળકોનું એડમિશન ત્યાંથી નીકાળીને અન્ય સ્કૂલમાં મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ સ્કૂલ બંધ હોવાથી વાલીઓને તેમના બાળકોનું એલસી મળી રહ્યું નથી.જેથી DEO કચેરી દ્વારા ચાર અધિકારીઓને આવતીકાલથી સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવશે.આ ચાર અધિકારીઓ જે બાળકોને અન્ય સ્કૂલમાં એડમિશન લેવું છે તે માટે મદદ કરશે હાલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિના પ્રોવિઝનલ એડમિશન આપીને બાળકને અન્ય સ્કૂલમાં અભ્યાસ પણ શરૂ કરાવી દેવામાં આવશે. તમામ વાલીઓ DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને એડમિશન ત્યાંથી કઢાવી અન્ય સ્કૂલમાં મેળવી શકશે.
સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના બાદ સ્કૂલના સંચાલક કે આચાર્ય હજુ સુધી શિક્ષણ વિભાગની સામે આવ્યા નથી.શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલે બે વખત કરવામાં આવી છે.જેમાં અંતિમ નોટિસમાં ત્રણ દિવસની સમય મર્યાદામાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. જો સ્કૂલ દ્વારા ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવામાં ના આવે તો ICSE બોર્ડની માન્યતા મેળવવા ગુજરાતના શિક્ષણ વિભાગે આપેલી મંજૂરી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *