આગામી ડિસેમ્બર ૨૦૨૭ સુધી એક એક ઘર અને બુથ સુધી કોંગ્રેસ પક્ષ ઘરે ઘરે જઈ વોટર વેરિફિકેશન કરી વોટ ચોરને ખુલ્લા પાડશે:
આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વોટચોરી પકડવામાં કોંગ્રેસ પક્ષ ‘વોટર અધિકાર યાત્રા’ કરશે.: શ્રી અમિત ચાવડા.
અમદાવાદ
નાગરિકોના વોટના હક્ક અને અધિકારના રક્ષણ માટે અને વોટ ચોરી સામેની લડાઈ માટેની વોટર અધિકાર જનસભા’ને સંબોધન કરતા રાજ્યસભા સાંસદ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિન સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે જનનાયક, લોકસભા વિપક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’નું કૌભાડ સમગ્ર દેશના લોકો સામે ખુલ્લું પાડ્યું છે. આજ દેશમાં લોકશાહી પર મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. પહેલા ચૂંટણીપંચ વિપક્ષ સવાલનો જવાબ આપતું હતું. પરંતુ અત્યારે ચૂંટણીપંચ વિપક્ષનો જવાબ આપવાને બદલે શ્રી રાહુલ ગાંધીને ચેતવણી આપે છે કે ૭ દિવસમાં માફી માંગે નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં જે રીતે વોટચોરી થઈ રહી છે તેને જોતા નૈતિકતાના ધોરણે વડાપ્રધાનશ્રીને સત્તા પર રહેવાનો અધિકાર નથી. વિધાનસભા ચૂંટણી હોય છે લોકસભાની ચૂંટણીમાં ભાજપે વોટચોરી કરી છે. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસની લહેર જોવા મળે છે પણ પરિણામ ભાજપની સરકાર જોવા મળે છે. શું આ વોટ ચોરીના પરિણામ નથી? બાબા સાહેબ આંબેડકરે બંધારણ થકી આપણેને અધિકાર આપ્યા હતા. ભાજપે વોટચોરી કરી લોકોના હક્ક અને અધિકાર છીનવી લીધો છે. હવે લોકશાહી બચાવવા માટે જાગૃત નાગરિકોએ રોડ પર ઉતરવું પડશે. શ્રી રાહુલ ગાંધીના સંદેશ લઈને દેશના દરેક ગામડામાં જવાનું કામ કોંગ્રેસ પક્ષનો કાર્યકર કરશે. ભાજપે ન્યાયપાલિકા પર પણ પોતાનો હક જમાવવામાં પ્રયત્ન કરી રહી છે. ચૂંટણીના દિવસોમાં પણ પૈસાથી મત ખરીદવામાં આવી રહ્યાં છે. ભાજપ સરકારી સંસ્થાનો દુરુપયોગ કરી લોકોના હક્ક અને અધિકાર તરાપ મારી રહી છે. ઇતિહાસમાં જ્યારે આ પ્રકરણ લખવામાં આવશે ત્યારે લોકતંત્ર પર આંતક ફેલાવાનું પ્રકરણ હશે.
સમગ્ર દેશમાં જનનેતા શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં “વોટચોરી”ના ષડયંત્ર સામે જનતા રસ્તા ઉપર ઊતરી આવી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જિલ્લે જિલ્લે આયોજિત મશાલ રેલી અને ધરણા કાર્યક્રમમાં પણ લોકો આક્રોશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે અમદાવાદ ખાતે “વોટ ચોર, ગદ્દી છોડ”ના નારા સાથે યોજાયેલ “વોટર અધિકાર જનસભા”ને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશમાં હવે પરિવર્તન પવન ફૂંકાઈ રહ્યો છે. લોકસભા વિપક્ષ નેતા જનનાયકશ્રી રાહુલ ગાંધીએ કર્ણાટકમાં વોટ ચોરી પકડી હતી. ગુજરાતમાં ચુટંણી પ્રચાર માટે જઇએ ત્યારે પરિણામ આપણી તરફે દેખાય પરંતુ પરિણામ તદ્દન વિપરીત હોય. વોટ ચોરી પહેલા શંકા હતી ચૂંટણીમાં કાંઈક ખોટું થઈ રહ્યું છે. પરંતુ હવે એ વાત સામે આવી છે કે ભાજપ પ્રજાના સાચા મતથી સત્તા પર બેઠા નથી. ગુજરાતમાં પણ વોટ ચોરી અંગે ચકાસણી કરતા નવસારી લોકસભામાં ૩૦ હજાર વધુ બોગસ, નકલી, વોટ ચોરી પકડાઈ હવે આ વોટ ચોરને પકડવાની શરૂઆત થઈ ગઈ છે. જુદી જુદી પાંચ પધ્ધતિ વોટ ચોરી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ઘરે ઘરે જઈ વોટર વેરિફિકેશન કરશે. ભાજપના પ્રમુખશ્રીના વિસ્તારમાં જ વોટ ચોરી પકડાઈ છે. ૨૪ કલાક બાદ પણ ઇલેક્શન કમિશન બોલવા તૈયાર નથી. માત્ર ૪૦ ટકા મતદાર યાદીની ચકાસણીમાંથી ૧૨ ટકા મતદારો બોગસ હતા. આટલી મોટી ‘વોટ ચોરી’ પકડાઈ હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં તમામ બૂથમાંથી વોટચોરી પડકવામાં આવશે. જેના ભાગરૂપે ગુજરાતમાં વોટચોરી પડકવામાં કોંગ્રેસ પક્ષ ‘વોટર અધિકાર યાત્રા’ કરશે. ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું હવે લોકશાહી બચવાની લડાઈ લડવાની છે તારીખ ૮ સપ્ટેમ્બરે ગાંધીનગર વિધાનસભા ઘેરાવ કાર્યકમ કરવામાં આવશે જેમાં આપ સૌ જોડાવો તેવો આહવાન કરીએ છીએ.આ સત્તા માટેનું નહીં તમારા અધિકાર માટેનુ અભિયાન છે.
ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર, મોઘું શિક્ષણ, મોઘું આરોગ્ય, પ્રજા શાસકોથી ત્રસ્ત હોવા છતાં ૧૫૬ આવે એટલે લાગે કે દાળમાં ચોક્કસ કંઇક કાળું હોય. ચોર્યાસી વિધાનસભા પ્રમાણે વોટ ચોરી કરી હોય તો ગુજરાતમાં ૬૨ લાખ ગાલમેલ, શંકાસ્પદ વોટરો જોવા મળે. ગુજરાતમાં ૧૦૦ વર્ષથી રહેતા હતા તેમના મકાન તોડવામાં આવ્યા છે. વર્ષોથી પોતાના ઘરમાં રહેતા હતા તે લોકો હવે રોડ પર રહેવા મજબૂર થયા છે.દેશમાં ચારેબાજુ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. આંગણવાડી આશાવર્કર, વીસીઇ સહિતના કર્મચારીઓ સમાન વેતન માટે લડે છે. આદિવાસીઓના અધિકાર છિનવાઇ રહ્યા છે. વડાપ્રધાન એક બાજુ આત્મનિર્ભરની વાત કરે છે બીજી બાજુ આત્મસંપર્ણ કરે છે. પ્રધાનમંત્રી અહી ભાષણ કરતા હતા અને કેન્દ્ર સરકારે કપાસની આયાતના ડ્યુટી ઝીરો કરી દીધી. કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં નાગરિકોને આપેલ વોટનો અધિકારને ચોરવા નહીં દે. નાગરિકોના હક્ક અને અધિકાર માટે સતત લડત માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.
અમદાવાદ ખાતે આયોજિત ‘ વોટર અધિકાર જનસભામાં’ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી જગદીશ ઠાકોર, શ્રી ભરત સોલંકી, લોકસભા સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, એ.આઈ.સી.સી મંત્રીશ્રી ઉષાબેન નાયડુ, શ્રી ભૂપેન્દ્ર મારવા, શ્રી સુભાષિની યાદવ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી ડૉ.એમિબેન યાજ્ઞિક, કાર્યકારી અધ્યક્ષ ડૉ.ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી જીગ્નેશ મેવાણી, શ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ઋત્વિજ મકવાણા, અમદાવાદ શહેર પ્રમુખશ્રી સોનલબેન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શ્રી શહેઝાદખાન પઠાણ સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, ચૂંટાયેલા કોર્પોરેર્ટરશ્રીઓ, સેલ-ડિપાર્ટમેન્ટના વડાશ્રી, પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી કાર્યકરમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ધમાકેદાર એન્ટ્રી : ડૉ.અમિત નાયકને આગામી નવી યુવા હરોળમાં આગવું સ્થાન મળે તો નવાઈ નહિ !
અમદાવાદ ખાતે આયોજિત વોટર અધિકાર જનસભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ.અમિત નાયકની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.વર્ષોથી અમદાવાદ શહેર કોંગ્રેસના સંગઠન ઉચ્ચ પ્રભુત્વ ધરાવતા અને સક્રિય રીતે ગણના કરી શકાય તેવા ડૉ.અમિત નાયકને તેમની ક્ષમતા પ્રમાણે નવ નિયુક્ત અને દુરાંદેશી પ્રમુખ અમિત ચાવડા જલ્દી જ કોઈ મોટી જવાબદારી આપશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.ભૂતકાળમાં ભાજપાની મીડિયા ટીમને ડિબેટમાં હંફાવતા કોંગ્રેસ મીડિયા પ્રવક્તા તરીકે ડો.અમિત નાયકની કોંગ્રેસના દિલ્હી હાઇકમંડ સુધી નોંધ લેવાઈ હતી તેથી તાત્કાલિક અસરથી ગુજરાત કોંગ્રેસના ઝૂઝારું, આખા બોલા, નીડર અને લડાયક પ્રવક્તા ડૉ.અમિત નાયકને આગામી નવી યુવા હરોળમાં આગવું સ્થાન મળે તો નવાઈ નહિ !

