ગાંધીનગરમાં 24X7 પાણી વિતરણ યોજના અને મીટર પ્રથાનો વિરોધ, વસાહત મહાસંઘે આવેદનપત્ર આપ્યું

Spread the love

 

ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ અને શહેરના નાગરિકોએ રાજ્ય સરકારની 24X7 પાણી વિતરણ પ્રથા અને પાણીના વપરાશ માટે મીટર લગાવવાના નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. આ મુદ્દે ગાંધીનગર વસાહત મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક પુનર્વિચારણા કરવાની માંગ કરી છે.
આ અંગે શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું કે, ગત 13 સપ્ટેમ્બરે યોજાયેલી વસાહત મહાસંઘની બેઠકમાં નાગરિકોએ આ યોજના સામે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.ગાંધીનગરને સ્માર્ટ સિટીની સિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશમાં શહેરીજનોને 24×7 પાણી પૂરું પાડવું ફરજિયાત નથી,હાલ મૈસુર શહેર પાણી વોટર ઓફ મૈસુર તરીકે ઓળખાય છે.મૈસુર સીટી સહિત ભારતભરના કોઈ જ શહેરમાં આવી યોજના હાલ અમલમાં નથી. સરકાર દ્વારા આ સુવિધા માટે સર્વે પણ કરાયો નથી.શહેરીજનોને સવારે ત્રણ કલાક પૂરતા ફોર્સથી નિયમિત અને શુદ્ધ પાણી પૂરું પાડવાની સુવિધા પર્યાપ્ત છે તેમાં વધારો કરીને સાંજે 7 થી 8 એમ એક કલાક પાણી પુરવઠો પૂરો પડાય તેવી માંગ છે.
વધુના કહ્યું કે, 24×7 કલાક પાણી વિતરણ તથા મીટર પ્રથાથી કરવામાં આવશે તો શહેરીજનોને અગામી સમયમાં સંભવિત ગંભીર સમસ્યાના ભયસ્થાનથી નારાજગી અને રોષની લાગણીનું ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ થશે. સેક્ટર-28 GIDCમાં હાલ પ્રાયોગિક ધોરણે અમલમાં રહેલ મીટર પ્રથા સદંતર નિષ્ફળ જઈ રહી છે, તેમજ ભૂતકાળમાં વિવિધ સેક્ટરમાં જેમકે સેક્ટર-21 તથા સેક્ટર-24માં નાખેલ મીટર પ્રથા પણ તદ્દન નિષ્ફળ ગઈ હતી.
હાલની C.I. પાઇપ લાઇન ISI સ્ટાન્ડર્ડ મુજબ 100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવે છે, આ પાઇપલાઇનમાં કોઈપણ જગ્યાએ ભંગાણ થાય તો માત્ર પંપીંગ સ્ટેશન ઉપરનો વાલ બંધ કરવો ફરજિયાત છે. કામચલાઉ ઇમરજન્સી માટે કોઈ જ વ્યવસ્થા થઈ નથી તે સબબ મોંઘા વાલ્વ નોનયુઝડ થઈ જશે.જે લાઈનમાંથી કનેક્શન Dia પ્રમાણે જોઈન્ટ આપેલ નથી તેમ જ જોઈન્ટમાં ચાપડા મારેલ છે જે ટેકનિકલી યોગ્ય નથી જે જોઈન્ટ Tથી થવા જોઈએ તેવું સૂચન છે.
તેમણે ઉમેર્યું કે ,મીટર લગાડવાની પ્રક્રિયામાં મીટર મેઈન્ટેનન્સ ખર્ચાળ અને જટિલ છે તથા મીટરના રીડિંગ મટીરીયલ્સ યોગ્ય ગુણવતા સિવાયના પ્લાસ્ટિકના છે. જે સતત પાણીના કારણે વારંવાર બંધ પડવા કે બગડવાની સમસ્યા રહેશે.વિશેષમાં મકાનોના ગટર કનેક્શન માટે હયાત પાઇપ લાઇન મુખ્ય ચેમ્બર સાથે જોડાણ કરેલ છે તેમાં યોગ્ય લેવલ તથા યોગ્ય જાડાઈની ગુણવતા નહીં જળવાતા તેમજ ગલી ટ્રેપનું પ્રોવિઝન ન હોવાથી ગટરનું પાણી ઘરમાં બેક મારવાની સમસ્યાની સંભાવના ખૂબ જ વધી જશે.
ઉપરોક્ત તમામ વિગતે 24×7 પાણી વિતરણ પદ્ધતિ,પાણી વપરાશ બિલ માટે મીટર પદ્ધતિ, નવીન ગટર બાબતે પ્રજાને ધરણાં,આંદોલન,ઉપવાસ કે ન્યાયિક લડત સુધી જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ ટાળવા તાત્કાલિક ત્રણેય સંવેદનશીલ પ્રશ્નો અંગે પુનર્વિચારણા કરવાની અમારી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *