ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ આવ્યા, કોંગ્રેસનાં જગદીશે મુક્ત થવાની વાત કરી,

Spread the love

 

ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપીને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે તેઓ કોઈપણ ચૂંટણી લડશે નહીં અને કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) માં તેમની જવાબદારીઓમાંથી તેમને મુક્ત કરવા પક્ષને અપીલ કરી છે.

જગદીશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે, “હું મારા છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ માટે કામ કરતો રહીશ, પરંતુ હવે યુવા અને મહેનતુ કાર્યકરોને આગળ લાવવાની જરૂર છે.”રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું, “રાહુલ ભાઈએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યો. હું તેમનો આભારી અને ઋણી છું.”જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું, “મેં સ્પષ્ટપણે નક્કી કર્યું છે કે હવે કોઈપણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મારી કોઈ ભૂમિકા રહેશે નહીં. હવે સમય આવી ગયો છે કે એવા ચહેરાઓને આગળ લાવવાનો જે સખત મહેનત કરી શકે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *