સેકટર-૨૪નાં ઔષધિવનમાં ટીટોડીએ ઈંડા મુક્યા

Spread the love

ટીટોડી ઈંડા ક્યાં મુકશે, નીચે મુકશે કે ઉપર? તેની પર ભવિષ્યજ્ઞ વરસાદની આગાહી કરતાં હોય છે. પક્ષીનાં ઈંડા મુકવા પર વરસાદ સાથે કોઈ તાલમેલ છે કે નહીં તે તો ઈન્દ્ર ભગવાન ને ખબર પણ ટીટોડીએ સેકટર-૨૪માં આવેલ ઔષધિવનમાં જમીન પર ઈંડા મુક્યાં છે.

ચોમાસાની શરુઆત થતાં જ ટીટોડીના ઈંડા ક્યાં મુકાયા છે તેની ચર્ચા વેગ પકડે છે. ખેડૂતોથી લઈને દરેક વ્યક્તિ પ્રમાણસરનો વરસાદ થાય તેવી અપેક્ષા રાખતા હોય છે અને તેના માટે દરેક પ્રકારના અનુમાનોને અવકાશ મળતો હોય છે. ગાંધીનગરમાં સેકટર-૨૪ના ઔષધિવનમાં જમીન પર મુકાયેલ ટીટોડીના ઈંડા કેવો વરસાદ લાવે છે તેની અટકળો શરુ થઈ ગઈ છે.

છેલ્લા ઘણાં વર્ષોથી સેકટર-૨૪ના ઔષધિવનમાં કાર્યરત પ્રકૃતિ પ્રેમી ભરતભાઈ સોલંકીએ જણાવ્યું કે, આજે ટીટોડીએ ચાર જેટલા ઈંડા જમીન પર મુક્યા છે તો હવે જોવાનું રહ્યું કે વરસાદ કેટલો પડે છે!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com