સ્થાનિક કોર્પોરેટર ઈકબાલ શેખે ફોરેસ્ટ હેલ્પલાઇનમાં ફરિયાદ કર્યાને ત્રણ દિવસ થવા છતાં આજે સાંજના પાંચ વાગ્યા સુધી કોઈ મદદ ન મળતા આખરે સરકારમાં આવતીકાલે રજૂઆત કરાશે
અમદાવાદ
અમદાવાદના ગોમતીપુરનેસ્થાનિક કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે ગોમતીપુર વોર્ડ માં છેલ્લા બે દિવસથી નૂર ભાઈ ધોબી ની ચાલી રોયલ સ્ટેટ અમ્રપાલી સિનેમા ની આસપાસ આશરે 8 થી 10 વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે જે સ્થાનિક રહીશો અખ્તર કુરેશી ઉંમર વર્ષ 55 જેમને પગમાં અને થાપાના ભાગે શ્રીમતી અલ અમીના ખાન ઓમર વર્ષ 25 એમને પગ અને પેટના ભાગે તેમજ હાથમાં સમી ઉલ્લા શેખ ઉંમર 70 જમના બંને પગમાં કરડ્યા છે દીપકભાઈ પાંડે 42 વર્ષ એમને હાથમાં અને માથાના ભાગે કરડ્યા છે અને આશરે 12 થી 13 વ્યક્તિઓને કરડ્યા બાદ નાની મોટી ઇજાઓ થઈ છે કોઈ મોટી હોનારત ન થાય એની તકેદારી લેવા સ્થાનિક કોર્પોરેટર ઈકબાલ શેખ ને જાણ કરાતા તેઓ દ્વારા ફોરેસ્ટ હેલ્પલાઇન ને ફરિયાદ કરે ત્રણ દિવસ હોવા છતાં આજે સાંજના પાંચ વાગ્યા સુધી એટેન્ડ કરવામાં આવી નથી જેથી કોઈ રિસ્પોન્સ નહીં આવતા ઈકબાલ શેખ દ્વારા ફરીથી ફોરેસ્ટ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી સિનિયર ઓફિસરો જેવા કે ડીસીએફ અને આરએફઓ નો સંપર્ક કરવાનું પ્રયત્ન કર્યો હતો પરંતુ વિભાગ દ્વારા કોઈ જ મદદ ન મળતા આખરે સરકારશ્રીમાં આવતીકાલે રજૂઆત કરવા માટે તજવીજ કરવામાં આવશે કારણકે સરકાર શ્રી દ્વારા ફોરેસ્ટ હેલ્પલાઇન સંસ્થાને કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે છતાં શહેરની અંદર સાપ વાંદરા કે અન્ય જીવલેણ પ્રાણીનો જ્યારે આમ પ્રજા ઉપર ત્રસ ગુજારેત્યારે ત્યારે પ્રજાના હિતમાં તાત્કાલિક કાર્ય કરવા માટેની જવાબદારી હોય છે પરંતુ ઉપરોક્ત સંસ્થાની કામગીરીમાં ઘણા સમયથી આવી ઇમર્જન્સી વખતે ખૂબ બેદરકારી જોવા મળતી હોય છે જ્યારે જ્યારે પણ શહેરમાં કોઈ જાન લેવા પ્રાણી દ્વારા જોખમ ઊભું થાય છે ત્યારે જેટલી પણ સંસ્થાને ગ્રાન્ટ આપવામાં આવે છે એ તમામ સંસ્થાઓ એકબીજા ઉપર ખો આપી કામગીરી કરવા ભાગી રહે છે અને આ બાબતે આ સંસ્થાની વિરુદ્ધમાં ઘણી જ વખત ફરિયાદો થઈ હોવા છતાં કોઈ કાર્ય કરવામાં આવતી નથી જે ગંભીર બાબત છે આ બધા મુદ્દા લઈને ફરીથી આ ગંભીર મુદ્દાઓ લઈને ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે પગલાં લેવા વિનંતી કરવામાં આવશે જેથી કરોડ કરોડો રૂપિયાની આમ પ્રજાના ટેક્સના પૈસા ની ગ્રાન્ટ લેખે લાગે અને આમ પ્રજા આવા જંગલી જાનવરોથી બેખોફ જીવી શકે

