બારેજા
સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બારેજા નગર દ્વારા પથ સંચાલન અને ભારત માતા પૂજનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો.
તેમાં અતિથિ તરીકે પાનમ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ મયુરભાઈ પનુભાઈ પટેલ અને વક્તા તરીકે ગાંધીનગર સંઘના ગાંધીનગર વિભાગના સેવા પ્રમુખ જયેશભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા. અને બારેજા નગરના મોટી સંખ્યામાં સ્વયંસેવકો એ પથ સંચાલન અને ભારત માતા પુજન કર્યું.
