ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં સૌથી મોટું મેગા ડિમોલિશન : 20 JCB અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

Spread the love

 

 

અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લાં અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ હતી. 20 JCB મશીન અને 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યાં છે ત્યારે શહેરમાં આવેલાં તળાવો પરનાં દબાણો દૂર કરવાની શરૂઆત થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર શહેરમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન બાદ ઈસનપુર તળાવમાં થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરાઈ છે. ઈસનપુર તળાવમાં છેલ્લાં 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ-અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 20 JCB, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ACP, PI, PSI અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 પોલીસકર્મચારીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 29 એપ્રિલ, 2025એ અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ હતી. 50 JCB મશીન સાથે AMCની ટીમે સવારે 7 વાગ્યાથી બાંધકામો તોડવાનું શરૂ કર્યું હતું. ફેઝ-1માં 4,000 કાચાં-પાકાં બાંધકામ દૂર કરી 1.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી. 20 મે, 2025એ ફેઝ-2માં 8,500 કાચાં-પાકાં બાંધકામ દૂર કરી કુલ 2.50 લાખ સ્કવેર મીટર જમીન ખાલી કરાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *