ભિખારીસ્તાનના લાહોરમાં ભિખારીઓએ જ પોતાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ રિપેર કરાવ્યું “કહ્યું રોજી રોટી કા સવાલ હે ભઈયા”

Spread the love

 

પાકિસ્તાનના લાહોર શહેરમાં એક અનોખી ઘટના બની છે. ભીખ માંગતા ભિખારીઓએ ખરાબ થયેલા સરકારી ટ્રાફિક સિગ્નલને પોતાના પૈસા ભેગા કરીને રિપેર કરાવ્યું છે. સિગ્નલ બંધ હોવાથી વાહનો રોકાતા ન હોવાથી તેમની ભીખમાં ઘટાડો થતો હતો, જેના કારણે તેમણે આ પગલું ભર્યું. પાકિસ્તાનના લાહોર શહેરમાં ભિખારીઓએ ટ્રાફિક સિગ્નલ રિપેર કરવા માટે પૈસા ભેગા કર્યા હોવાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. લાહોરના ફિરદૌસ માર્કેટ વિસ્તારમાં એક ટ્રાફિક સિગ્નલ ખરાબ થઈ ગયું હતું. આના કારણે રસ્તા પરથી પસાર થતી ગાડીઓ રોકાતી નહોતી. ભિખારીઓએ જણાવ્યું હતું કે સિગ્નલ ખરાબ હોવાને કારણે વાહનો બ્રેક મારતા નહોતા, જેના પરિણામે તેમની ભીખની આવક ઘટી ગઈ હતી. આ સમસ્યાનો સામનો કરવા માટે, ભિખારીઓએ અંદરોઅંદર પૈસા ભેગા કર્યા અને ખરાબ થયેલા સરકારી ટ્રાફિક સિગ્નલને નવું લગાવીને અથવા રિપેર કરીને કાર્યરત કરાવ્યું. ભિખારીઓના આ પગલા પાછળનો મુખ્ય હેતુ તેમની ભીખની પ્રવૃત્તિને ફરીથી સામાન્ય બનાવવાનો હતો, કારણ કે સિગ્નલ વિના વાહનવ્યવહાર ઝડપી રહેતો હતો અને તેમને ભીખ માંગવા માટે પૂરતો સમય મળતો નહોતો. આ ઘટના પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *