Trump Iran Peace Talks Claim:ટ્રમ્પની ‘પીસ રણનીતિ’ થી ઓઇલ માર્કેટમાં ખળભળાટ: શું ઈરાન પરમાણુ કરાર પર ઝૂકશે કે યુદ્ધના વાદળો ઘેરાશે?

Spread the love

 

પશ્ચિમ એશિયાનું યુદ્ધ અત્યારે એવા વળાંક પર છે જ્યાં સત્ય અને અફવા વચ્ચેની રેખા ધૂંધળી થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાનના ટોચના અધિકારીઓ સાથે તેમની વાતચીત થઈ છે અને ટૂંક સમયમાં યુદ્ધવિરામ થઈ શકે છે. જોકે, નિષ્ણાતો આ દાવા પાછળ કોઈ ઊંડો વ્યૂહાત્મક પ્લાન હોવાનું માની રહ્યા છે, જેનો સીધો સંબંધ તેલના ભાવ અને અમેરિકી અર્થતંત્ર સાથે છે.

શેરબજાર અને તેલના ભાવનું કનેક્શન

ટ્રમ્પનો શાંતિનો દાવો એવા સમયે આવ્યો જ્યારે અમેરિકામાં શેરબજાર ખુલવાનું હતું. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ક્રૂડ ઓઈલના ભાવ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા હતા. યુદ્ધવિરામની વાતો ફેલાવીને તેલના ભાવને નીચે લાવવા અને રોકાણકારોનો ભરોસો જીતવાની આ એક રણનીતિ હોઈ શકે છે. ટ્રમ્પે હુમલા રોકવા માટે જે ૫ દિવસનો સમય આપ્યો છે, તે ટ્રેડિંગ વીક (Trading Week) ના છેલ્લા દિવસે પૂરો થાય છે, જે બજારને સ્થિર રાખવા માટે પૂરતો સમય છે.

સૈન્ય તૈયારી માટે સમયની જરૂર

વાતચીતના બહાને અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરી રહ્યું છે. અહેવાલો મુજબ, અમેરિકા અંદાજે ૧૦૦૦ થી ૩૦૦૦ એરબોર્ન સૈનિકોને આ વિસ્તારમાં તૈનાત કરી રહ્યું છે. જો ભવિષ્યમાં જમીની હુમલો (Ground Offensive) કરવો પડે, તો સૈનિકોની તૈનાતી માટે આ સમય ખરીદવાની એક યુક્તિ હોઈ શકે છે.

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે ટ્રમ્પના દાવાઓને “ફેક ન્યૂઝ” ગણાવ્યા છે. ઈરાનનું માનવું છે કે અમેરિકા તેની સૈન્ય નિષ્ફળતા છુપાવવા માટે આવા ખોટા દાવા કરી રહ્યું છે.ઈરાન ઈચ્છે છે કે આ યુદ્ધની આર્થિક અસર પશ્ચિમી દેશો પર વધુમાં વધુ પડે, જેથી અમેરિકા પર રાજદ્વારી દબાણ વધે.ઈરાનમાં અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ લોકોના મોત થયા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે, તેમ છતાં તે હજુ હાર માનવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *