તેહરાનનો ખતરનાક મૂડ ! ઇરાને શાંતિ મંત્રણાને લાત મારી, શું આ ઈસ્લામાબાદમાં વિનાશના એંધાણ છે?

Spread the love
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, તે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સૂચિત શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં. ઈરાને જણાવ્યું છે કે, જ્યાં સુધી લેબનોનને યુદ્ધવિરામ (સીઝફાયર) માં જોડવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ વાતચીત શક્ય નથી.

પાકિસ્તાનને જાણ કરી

 

ઈરાને પાકિસ્તાનને સત્તાવાર રીતે જાણ કરી છે કે, તેનું કોઈ પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ ગયું નથી અને જવાની કોઈ યોજના પણ નથી. ઈરાનનું કહેવું છે કે, લેબનોન પર ચાલુ હુમલાઓ વચ્ચે વાતચીત કરવી ‘વ્યર્થ’ હશે. તેહરાને સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં સૈન્ય કાર્યવાહી રોકવામાં નહીં આવે અને વ્યાપક સીઝફાયર લાગુ નહીં થાય, ત્યાં સુધી શાંતિ વાટાઘાટો આગળ વધશે નહીં.

 

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાતચીતની તૈયારીઓ ચાલી રહી હતી. જો કે, લેબનોનમાં વધતા હુમલાઓએ આ વાતચીત પર અનિશ્ચિતતા ઊભી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, લેબનોન મુદ્દે મતભેદ જ અત્યારે શાંતિ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ બનીને ઉભર્યો છે. ઈરાન સતત એવી માંગ કરી રહ્યું છે કે, યુદ્ધવિરામ તમામ મોરચે લાગુ થાય, જેમાં લેબનોન પણ જોડાયેલ હોય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *