સુરતના માંગરોળ તાલુકામાં આજથી બરાબર 16 વર્ષ પહેલા નાયબ મામલતદારે રૂપિયા 500ની લાંચ માંગી હતી. જે હવે તેમને ભારે પડી ગઈ છે. સનમુખ ચૌધરી નામના નાયબ મામલતદાર. એમણે દસ્તાવેજના આધારે હક્ક પત્રકમાં નામ દાખલ કરવાની કામગીરી માટે લાંચ માંગેલી. જે પછી ફરિયાદીએ ACBનો સંપર્ક કરી પકડાવી દીધા હતા. હવે સુરતની કોર્ટે આ લાંચિયા મામલતદારને ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ હજારનો દંડ ફટકાર્યો છે.