વડોદરામાં લવ જેહાદનો પ્રથમ કેસ નોંધાયો

Spread the love

રાજ્યની વિધાનસભાએ બહુમતીથી પસાર કરેલ લવ જેહાદના નવા કાયદા હેઠળ રાજ્યનો પ્રથમ ગુનો વડોદરા માં નોધવા પામ્યો છે. લવ જેહાદને નિયંત્રણમાં લાવવા બનેલાં કાયદાના અમલની જાહેરાતના ત્રીજા દિવસે જ વડોદરામાં પ્રથમ ગુનો નોધાવવી સનસનાટી મચી જવા પામી છે.વડોદરા પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના નવસારી વિસ્તારમાં આવેલા આર્દસનગરમાં રહેતા સમીર અબ્દુલ કુરેસીએ ખ્રિસ્તી નામ ધારણ કરીને સોસિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી પોતે લગ્ન કરશે એવું જણાવી વિશ્વાસ કેળવી યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સબંધ બાધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું ક્રુતિ કર્યું હતું અને તેણે યુવતીની જાણ બહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા છે.
યુવકે યુવતીને તેના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપીને તેની સાથે મરજી વિરુધ્ધ કરજણ હાઇવે પર આવેલ પીરામીડ હોટલ તથા પંડ્યા બ્રિજ (વડોદરા) મહેર મલેકના ફ્લેટમા શારીરિક સબંધ બાંધ્યો હતો દરમિયાન યુવતી બે વખત ગર્ભવતી થઈ હતી એકવાર દવા આપીને તથા બીજી વાર ગર્ભ પછ માસ રહી જતાં ડોક્ટર પાસે યુવતીની મરજી વિરુધ્ધ ગર્ભપાત કરાવેલ હતો. ત્યારબાદ મુશ્લિમ યુવકે વડોદરા ના કલ્યાણનગર ગોસિયા મશ્જિદ ખાતે લઈ જય યુવતીનું હિન્દુ નામ બદલીને મુશ્લિમ ના સુહાનાબાનું રાખીને બળજબરીપૂર્વક નિકાહ પઢયા હતા તેમજ યુવતીનું ધર્મપરિવર્તન કરાયું હતું.
યુવકના પરિવારે યુવતીને તું મુસલમાન બની ગઈ છે તેથી તારે ફરજિયાત બુરખો પહેરવો પડશે હિંદુ હોય ચાંદલો કરતી હોય તો તે કઢાવી નાખજે તારે મુસ્લિમ ધર્મ પાળવો પડશે તેમજ તે યુવતીના માતા-પિતાને જાતિવિષયક ગાળો આપીને તેનું મેરેજ રજીસ્ટર્ડ કરાવેલ હતું નિકાહ બાદ સમીર કુરેશીએ કહ્યું હતું કે દલિત છોકરીઓ મુસ્લિમ બનવા માટે જ બનેલી છે સમીર વારંવાર બીજા સંબંધીઓ મારફતે યુવતીના પરિવાર પાસે ૪૦ લાખની ફોરચુનર કાર ની માંગણી કરી હતી .
આ સઘળી હેરાનગતિ પરેશાની થી અને યુવતીએ (૧) સમીર અબ્દુલ કુરેશી (૨) અબ્દુલભાઇ કુરેશી (૩) ફરીદા અબ્દુલ કુરેશી (૪) રૂકસાર અબ્દુલ કુરેશી (૫) તરસાલી દાદુનગર ખાતે રહેતા અલ્તાફ ચૌહાણ (૬) પંડ્યા બ્રિજ પાસે ફ્લેટના માલિક મહેર મલેક (૭) હાલોલ બાયપાસ પાસે આવેલી હેરિટેજ હોટેલની પાછળ રહેતા નવસાદ શેખ વિરુધ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી ગોત્રી પોલીસે યુવક સામે બળાત્કાર એટ્રોસિટી એક્ટ અને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમન – ૨૦૨૧ની કલમો અંતર્ગત ગુનો નોંધીને તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ માત્ર ધર્મ પરિવર્તન ના આશયથી કરાયેલ લગ્ન હોઇ કોર્ટ દ્વારા આવા બદઈરાદાવાળા લગ્ન રદ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com