જનતા વધુ એક ઝટકો સહેવાની તૈયારી રાખે, દૂધ વધુ મોંઘું થશે

Spread the love

યુદ્ધની સ્થિતિ થોડી સામાન્ય બની ત્યાં હવે નવો ડામ સહેવાની તૈયારી પ્રજાએ રાખવી પડે તેવો સિનારિયો સર્જાયો છે. અલ નીનોની અસરના લીધે ચોમાંસુ ખેચ્યું છે. જેના લીધે ઘાસચારાની અછત સર્જાય તો દૂધ ઉત્પાદન ઓછું થતા દૂધ છે તેનાથી મોંઘુ બની શકે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.થોડા અઠવાડિયા પહેલા, અમૂલ અને મધર ડેરીએ દેશની અન્ય ડેરીઓ સાથે મળીને દૂધના ભાવમાં વધારો કર્યેા હતો, જેનાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું.

ડેરી ઉધોગના અધિકારીઓ કહે છે કે મે મહિનામાં દૂધના ભાવમાં ૨-૩ ટકાનો વધારો થઈ ચૂકયો છે. જો અલ નીનો અને ઓછા વરસાદને કારણે ઘાસચારાની અછત સર્જાય છે અને દૂધ ઉત્પાદન પર અસર પડે છે, તો જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં ભાવ વધુ વધી શકે છે.સામાન્ય રીતે, ઓછા વરસાદના સમયગાળા દરમિયાન, ખેડૂતો ઘાસચારો અને પાણીની અછતને કારણે પશુઓની સંખ્યા ઘટાડે છે, જેના કારણે દૂધનું ઉત્પાદન ઘટે છે અને ભાવમાં વધારો થાય છે. અમૂલ, મધર ડેરી અને પરાગ મિલ્ક ફડસ જેવી મોટી ડેરી કંપનીઓએ મે મહિનામાં દૂધના ભાવમાં ૨-૩ ટકાનો વધારો કર્યેા હતો.

‘ગો ચીઝ’ અને ‘ગોવર્ધન’ બ્રાન્ડના માલિક, પરાગ મિલ્ક ફડસના ચેરમેન દેવેન્દ્ર શાહે જણાવ્યું હતું કે દૂધના ભાવ પહેલાથી જ લગભગ ૨-૩ ટકા વધી ગયા છે, અને જો મુખ્ય દૂધ ઉત્પાદક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે, તો જુલાઈ સુધીમાં વધુ ૩-૪ ટકાનો વધારો થઈ શકે છે. મહારાષ્ટ્ર્ર સરકારે ખેડૂતોને ઘાસચારાનું ઉત્પાદન વધારવાની સલાહ આપી છે, યારે ઘણી ડેરી કંપનીઓ પશુપાલકો સાથે ઘાસચારા યોજનાઓ પર કામ કરી રહી છે. મહારાષ્ટ્ર્રના પશુપાલન કમિશનર કિરણ પાટીલે જણાવ્યું હતું કે અલ નીનોને કારણે નજીકના ભવિષ્યમાં ઘાસચારાનો અભાવ થવાની શકયતા નકારી શકાય નહીં. આ પરિસ્થિતિ પશુધન અને દૂધ ઉત્પાદનને અસર ન કરે તે માટે, રાયના તમામ પશુપાલકોએ સતર્ક રહેવું જોઈએ અને હવેથી ઘાસચારા પાક માટે આયોજન કરવું જોઈએ.

 

અમૂલ અને મધર ડેરીનો અભિપ્રાય શું છે

અમુલે જણાવ્યું હતું કે તે ચોમાસાની પ્રગતિનું મૂલ્યાંકન કરશે, અને હાલમાં ઘાસચારાની સ્થિતિ ચિંતાનું કારણ નથી. અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે અલ નીનોનો દૂધની ઉપલબ્ધતા પર તાત્કાલિક અસર નથી. ઓછા વરસાદની અસર સામાન્ય રીતે સમગ્ર દેશને બદલે ચોક્કસ વિસ્તારો સુધી મર્યાદિત હોય છે.જયારે મધર ડેરીએ કહ્યું કે તે તેના ખરીદી ક્ષેત્રોમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે અને યાં જરી હોય ત્યાં નિવારક પગલાં લઈ રહી છે. મધર ડેરીના મેનેજિંગ ડિરેકટર જયતીર્થ ચારીએ જણાવ્યું હતું કે, અમે રાય-દર-રાયમાં અમારા ખરીદી નેટવર્કમાં વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને યાં જરી હોય ત્યાં યોગ્ય નિવારક પગલાં અમલમાં મૂકી રહ્યા છીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *