મુંબઈના નેવી નગર વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.પ્રાથમિક તપાસમાં આ મામલો સામૂહિક આત્મહત્યા (Suicide)અથવા કૌટુંબિક દુર્ઘટના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકોમાં નૌકાદળના કર્મચારી, તેમની પત્ની અને બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.મૃતકોમાં નૌકાદળનો એક કર્મચારી, તેની પત્ની અને તેમના બે માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાનું સૌથી કરુણ પાસું એ છે કે બંને બાળકો ખૂબ નાની ઉંમરના હતા. એક બાળક માત્ર બે મહિનાનું હતું, જ્યારે બીજા બાળકની ઉંમર ત્રણ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ (Police)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ચારેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓને આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારના ચાર સભ્યોના મોત અંગે પ્રાથમિક તપાસમાં અનેક પાસાં સામે આવ્યા છે. જોકે, અંતિમ કારણ અંગે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ સત્તાવાર નિષ્કર્ષ આવી શકશે.
નાવિકે ફાંસી લગાવી, પત્ની અને બાળકોના મોત અંગે શંકા
પ્રારંભિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નૌકાદળના કર્મચારીએ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. બીજી તરફ, પત્ની અને બંને બાળકોના મૃત્યુ ઝેરી પદાર્થના કારણે થયા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ તમામ વિગતો તપાસ હેઠળ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારના સંબંધીઓ તથા નજીકના લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. ચારેયના મોત પાછળની પરિસ્થિતિ જાણવા માટે પોલીસ દરેક સંભવિત પાસાંની તપાસ કરી રહી છે.
સુરક્ષિત નેવી નગરમાં ઘટના બનતા ચકચાર
નૌકાદળ દ્વારા સંચાલિત અને અત્યંત સુરક્ષિત ગણાતા નેવી નગર વિસ્તારમાં આવી કરુણ ઘટના બનતા સ્થાનિકોમાં પણ ચકચાર મચી છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. પરિવારના સભ્યો વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ હતો કે કેમ, પરિવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો કે અન્ય કોઈ વ્યક્તિગત સમસ્યા હતી, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હાલ કોઈ ચોક્કસ કારણ સત્તાવાર રીતે સામે આવ્યું નથી.
પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચું કારણ થશે સ્પષ્ટ
પોલીસના જણાવ્યા અનુસાર, ચારેયના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ખાસ કરીને પત્ની અને બંને બાળકોના મૃત્યુ પાછળ ઝેરી પદાર્થની ભૂમિકા હતી કે અન્ય કોઈ કારણ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે નેવી પરિવાર (Navy Family)ના કરુણ અંત પાછળના કારણો શોધવામાં આવી રહ્યા છે. પોલીસ પારિવારિક, આર્થિક અને અન્ય સંભવિત પાસાંની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવશે.
